ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે સાંજે 5 વાગ્યે વાત થઈ. ન્યૂઝ એજન્સી PTIએ આ માહિતી આપી. ભારતીય સેનાએ જણાવ્યું કે DGMOની વાતચીતમાં ભારત અને પાકિસ્તાન બંનેએ આ વાત પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કે બંને તરફથી એક પણ ગોળી ચલાવવામાં નહીં આવે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મે (શનિવાર)ના રોજ સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી ત્રણેય સેનાઓના DG ઓપરેશન, ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી આપી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ વિરુદ્ધ હતી, તેથી આતંકવાદી ઠેકાણાં પર હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓનો સાથ આપવાનું યોગ્ય સમજ્યું.
આ દરમિયાન સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે જમ્મુ-કાશ્મીરના સાંબામાં ડ્રોન દેખાયા, જેને ભારતીય એર ડિફેન્સે તોડી પાડ્યા. બીજી તરફ, પંજાબના હોશિયારપુરમાં ધમાકા સંભળાયા. સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો. જલંધરમાં પણ ડ્રોન દેખાયાની વાત સામે આવી છે.
7 મેના રોજ ઓપરેશન સિંદૂરની શરૂઆતથી અત્યાર સુધી પાકિસ્તાની ગોળીબારમાં 5 આર્મી અને 2 BSFના જવાન શહીદ થયા છે, 60 ઘાયલ છે. આ ઉપરાંત 27 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech