પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગરીબો માટે બનાવાયેલા ૨૪૪૮ આવાસ માંથી અનેક આવાસ યોજનાના ફ્લેટ ઉપર રાખવામાં આવેલ પાણીના ટાંકા લીકેજ થયા છે તો ક્યાંક પાઇપલાઇન લીકેજ થઈ છે અને તેમાંથી પાણી સતત વહી રહ્યું છે અને તેના કારણે દીવાલોને અને ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે પરંતુ તંત્રએ સમારકામ કરાવવાને બદલે રાજકોટ કે જામનગર થી પ્લમ્બરો આવશે પછી સમારકામ થશે તેમ જણાવી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે.
પોરબંદર શહેરમાં મિશન સીટી યોજના હેઠળ ગરીબો માટેની આવાસ યોજનાનું નિર્માણ બોખીરામાં કરવામાં આવ્યું છે જ્યાં ૨૪૪૮ જેટલા ફ્લેટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ બિલ્ડીંગનું બાંધકામ થતું હતું ત્યારથી તે નબળી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી પરંતુ સરકારે આંખ આડા કાન કર્યા હતા અને હાલમાં અહીંયા મોટી સંખ્યામાં પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે અહીંના રહેવાસીઓ એવી ફરિયાદ કરી છે કે અમુક ફ્લેટની ઉપર પાણીના ટાંકા લીકેજ થઈ ગયા છે તો ક્યાંક પાઇપલાઇન લીકેજ થઈ ગઈ છે. અને આ મુદ્દે નગરપાલિકાના તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યારે એવું જણાવ્યું હતું કે જામનગર અને રાજકોટ થી પ્લમ્બરો આવશે ત્યારબાદ સમારકામ થશે.
લોકોએ એવું જણાવ્યું છે કે બહારથી કારીગરો આવે ત્યાં સુધીમાં પાણીને લીધે દીવાલોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. બાંધકામ નબળું થયું હોવાને કારણે છતમાંથી અવારનવાર પોપડા ખરી પડે છે અત્યારે હવે તેમાંથી પાણી ટપકી રહ્યા છે જેના કારણે લોકોને પંખા સહિત ઉપકરણોને પણ નુકસાન થઈ રહ્યું છે.
લોકોએ જણાવ્યું હતું કે પાણી દીવાલમાં ઉતરે છે જેના લીધે દિવાલો નબળી પડી રહી છે અને છતમાં પણ મોટી નુકસાની થઈ રહી છે માટે નગરપાલિકાના તંત્રએ વહેલી તકે પાણીના ટાંકાનું સ્થાનિક કક્ષાએ પ્લમ્બર બોલાવીને સમારકામ કરાવી આપવું જોઈએ અને જ્યાં પાઇપલાઇન લીકેજ હોય તે અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech