હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા મસ્જિદ વિવાદ વચ્ચે કાંગડા જિલ્લાના નગરોટા બાગવાન સબ-ડિવિઝનમાં મંદિરમાં સ્થાપિત શિવલિંગને તોડી પાડવાને લઈને વાતાવરણ ગરમાયું હતું. આ ઘટના પર રોષ વ્યક્ત કરતા હિંદુ સંગઠનો સહિત સ્થાનિક લોકોએ નગરોટા બગવાન માર્કેટમાં પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શન દરમિયાન, લોકો બજારમાં ભાડેથી આપવામાં આવેલી મુસ્લિમોની દુકાનો ખાલી કરવા મક્કમ બન્યા હતા. દુકાનો ખાલી કરવાના મુદ્દે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ભારે ચર્ચા જાગી હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા સ્થળ પર હાજર પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી.
આ દુકાનો મુસ્લિમો પોતે જ ખાલી કરી દેશે એવી ખાતરી આપીને વિરોધ કરનારા ત્યાંથી ચાલ્યા ગયા. આ દરમિયાન બજારમાં જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે અહીં લગભગ 16 દુકાનો મુસ્લિમોએ ભાડે લીધી છે.
લોકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
આ પછી લોકો ગાંધી મેદાન સ્થિત મસ્જિદની બહાર પહોંચી ગયા હતા અને મસ્જિદની અંદર ચાલી રહેલી ગતિવિધિઓ જાણવા અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં પણ પોલીસે લોકોને આમ કરતા અટકાવ્યા હતા.
જે બાદ એકઠા થયેલા લોકોએ ગાંધી મેદાનમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શહેરમાં ખોટી પ્રવૃતિઓને સાંખી લેવામાં આવશે નહીં અને અહીં જે મુસ્લિમ લોકોએ દુકાનો ભાડે આપી છે તેમણે તાત્કાલિક ખાલી કરવી જોઈએ.
સમગ્ર ઘટનાની માહિતી મળતાની સાથે જ પ્રવાસન નિગમના અધ્યક્ષ અને નગરોટા બગવાનના ધારાસભ્ય આરએસ બાલી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અજાણ્યા લોકોએ તોડ્યું શિવલિંગ
જણાવી દઈએ કે, નગરોટા બાગવાનમાં ગાંધી મેદાન પાસે આવેલા એક શિવ મંદિરના શિવલિંગને કેટલાક અજાણ્યા લોકોએ તોડી નાખ્યું હતું. લોકોને આ ઘટનાની જાણ શુક્રવારે સવારે જ થઈ હતી અને ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટના સમયે એસપી કાંગડા શાલિની અગ્નિહોત્રી અને એસડીએમ નગરોટા બાગવાન મુનીશ શર્મા પણ હાજર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMપોરબંદરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ સહિત કાર્યક્રમ યોજાયા
June 09, 2025 10:31 AMરાજકોટ : આયાત ડ્યુટી ઘટતા વેપારીઓ ચિંતિત, ગ્રાહકો ખુશખુશાલ
June 09, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech