ફ્રાન્સના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં સિરોસિસથી પીડાતા દર્દીઓ પર સંશોધનનો સમાવેશ થતો હતો. આ દર્દીઓમાં શાકભાજી અને ફળો ખાવાના ફાયદાઓની તપાસ કરાઈ.
વિશ્લેષણ કરાયેલા 179 દર્દીઓમાંથી, 20 દર્દીઓને હેપેટોસેલ્યુલર કાર્સિનોમા (યકૃતનું કેન્સર) હોવાનું નિદાન થયું. ટીમને જાણવા મળ્યું કે સિરોસિસના 42.5 ટકા દર્દીઓ પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાતા નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે સિરોસિસના દર્દીઓ જે દરરોજ 240 ગ્રામથી વધુ શાકભાજી ખાતા હતા તેમના લીવર કેન્સરના કેસમાં 65 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ટીમે જણાવ્યું હતું કે સિરોસિસવાળા દર્દીઓમાં ફળો અને શાકભાજીના વપરાશ અને હિપેટોસેલ્યુલર કાર્સિનોમાના જોખમ વચ્ચેનો સંબંધ સારી રીતે દસ્તાવેજીકૃત નથી. આવી માહિતી હિપેટોસેલ્યુલર કાર્સિનોમાના નિવારણમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સંશોધન જેએચઇપી જર્નલમાં પ્રકાશિત થયું છે.
લીવર કેન્સર એ વિશ્વભરમાં છઠ્ઠું સૌથી સામાન્ય કેન્સર છે, જે મુખ્યત્વે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા દ્વારા રજૂ થાય છે, જે લગભગ 85-90 ટકા છે. જ્યારે લીવર પર ગાંઠ વધે છે ત્યારે આવું થાય છે. હિપેટોસેલ્યુલર કાર્સિનોમા મોટાભાગે એવા લોકોમાં જોવા મળે છે જેમને ક્રોનિક લીવર રોગ હોય છે. ક્રોનિક લીવર રોગના મુખ્ય કારણોમાં દારૂ અને વાયરલ હેપેટાઇટિસનો સમાવેશ થાય છે, જ્યારે તેમાં વધુ વજન અને સ્થૂળતા, દૂષિત ખોરાકનો ઉપયોગ પણ શામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech