ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવતા શોકની લાગણી
જામનગરમાં હાલારહાઉસ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષના પ્રૌઢએ ગઈકાલે પોતાના ઘેર આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
જામનગરમાં હાલાર હાઉસ વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ નાથુભાઈ મેઘાણી નામના ૫૮ વર્ષ ના પ્રૌઢ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ ભોગવી રહ્યા હતા, અને પોતાની આ ર્થિક તંગ પરિસ્થિતિને લઈને પોતાના જીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું હતું.
દરમિયાન ગઈકાલે બપોરે તેઓએ પોતાના ઘેર પંખા ના હુકમાં મફલર બાંધી ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલભાઈ ગિરધરભાઈ મેઘાણીએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. એમ. વાળા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech