રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશ અને ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાલાની આગેવાનીમાં આજે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ આશરે ૨૦૦ વિઘા જમીન પરથી ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૦માં ભાદરના જળાશયમાં જંગલ ખાતાની ડૂબમાં ગયેલી જગ્યા અન્વયે આશરે ૩૩ હેક્ટરથી વધુ જમીન ઉમરકોટ ગામના સર્વે નંબર ૧૦ પૈકી ૧ અને ૭૫ પૈકી ૨ની જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી. જો કે આ પૈકીની આશરે ૩૧ હેક્ટરથી વધુ જગ્યાઓમાં છેલ્લા ૧૫ વર્ષથી દબાણદારોએ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં 8 જેસીબી, ૧૫ ટ્રેક્ટર કામે લાગ્યા હતા
ઉમરકોટ ગામની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્ય પધ્ધતિ મુજબ કલમ-૬૧ નીચે કેસો ચલાવી અને કલમ-૨૦૨ નીચે આખરી નોટીસો આપવામાં આવી હતી. છતાં દબાણ દૂર ના કરાતા, આજરોજ ડિમોલીશન હાથ ધરીને ૧૯ દબાણદારોએ કરેલા આશરે ૨૦૦ વિઘા જેટલી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ કામગીરીમાં 8 જેસીબી, ૧૫ ટ્રેક્ટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ડિમોલિશનમાં 110 લોકોનો સ્ટાફ જોડાયો હતો
આ જમીન ખુલ્લી કરાવીને દબાણરહિત કબજો આજરોજ જંગલ ખાતાને સોંપી દેવામાં આવ્યો છે. દરમિયાન તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ ૧૯ દબાણદારો પૈકી ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ દબાણ દૂર કરવા મામલદાર આર.કે.પંચાલ, ચીફ ઓફિસર જયમલ મોઢવાડીયા, નાયબ કાર્યપાલક ઇજનેર ખોરસીયા, પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેઓની ટીમ, ડી.આઈ.એલ.આર.કચેરીની ટીમ, પીજીવીસીએલ તરફથી નાયબ કાર્યપાલક ઇજનેર સોલંકી અને તેની ટીમ ઉપરાંત આશરે ૫૦થી વધુ કર્મચારીઓ, ૬૦થી વધુ પોલીસ સ્ટાફ સાથે કુલ ૧૧૦ લોકોની ટીમ સમગ્ર કામગીરીમાં જોડાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech