નીતિન ગડકરીએ કહ્યું, ડૉક્ટરો, એન્જિનિયરો અને સૌથી અગત્યનું, પ્રતિભાશાળી યુવાનોની ખોટ ખરેખર આપણા દેશ માટે એક મોટી ખોટ છે. આ તમામ દુર્ઘટનાઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ દોષી સિવિલ એન્જિનિયર છે. હું દરેકને દોષ નથી આપતો, પરંતુ 10 વર્ષના અનુભવ પછી, હું આ નિષ્કર્ષ પર આવ્યો છું કે સૌથી વધુ ગુનેગાર તે લોકો છે જેઓ ડીપીઆર અને હજારો પ્રોજેક્ટમાં ભૂલ કરી રહ્યા છે.
નીતિન ગડકરીએ માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી તકનીકો અને રિસાયકલ કરી શકાય તેવી બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટેની વ્યૂહરચના વિકસાવવા કહ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'ભારતમાં રસ્તાઓ પર સાઇનપોસ્ટ અને માર્કિંગ સિસ્ટમ જેવી નાની વસ્તુઓ પણ ખૂબ જ ખરાબ છે. આપણે સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર છે. ભારતમાં સૌથી ખરાબ ગુણવત્તાવાળા ડીપીઆર બનાવવામાં આવે છે. મને લાગે છે કે માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળભૂત રીતે એન્જિનિયરો જવાબદાર છે. તેથી, મુખ્ય સમસ્યા રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન અને ખામીયુક્ત ડીપીઆર છે.'
ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક સમિટ એન્ડ એક્સ્પો(GRIS)ને સંબોધતા કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતીના પગલાં સુધારવાની તાતી જરૂર છે. દેશમાં મોટાભાગના માર્ગ અકસ્માતો લોકોની નાની નાની ભૂલો, ખામીયુક્ત ડીપીઆરને કારણે થાય છે અને તેના માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech