૨૩ શખ્સો આબાદ ઝડપાયા: પોલીસે પેટમાંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો
જામનગર શહેર - જિલ્લા માં શ્રાવણીયા જુગાર ની મોસમ પુરબહાર માં ખીલી છે. ગઈકાલે પણ પોલીસે જુગાર અંગે કુલ પાંચ સ્થળો એ દરોડા પાડ્યા હતા. ૨૩ શખ્સો ને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.
જામનગરના ગોકુલ નગર શિવ નગરમાં જાહેરમાં ગંજીપાના થી જુગાર રમતા પીઠાભાઈ સામતભાઈ કનારા , ખીમાભાઈ સામતભાઈ ગાગીયા , રાજેશ વલ્લભભાઈ જોશી , મૂળજીભાઈ ભીમજીભાઇ ઠાકર અને હરસુખભાઈ મોહનભાઈ જોગિયા ને રૂ. ૭૪૮૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.
જુગારનો બીજો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇમરાન હાજીભાઈ લાખા , અહેમદ હુસેનભાઇ ધુંધા, મોહમ્મદ આવેશ શબ્બીર હસાનિયા અને અલીમામદ ચંનાણી ને રૂ.૧૫૫૦૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જુગાર અંગે નો ત્રીજો દરોડો જોડિયા તાલુકા નાં જીરાગઢ ગામ ની સીમ માં પાડવામાં આવ્યો હતો. અને અહીંથી જુગાર રમી રહેલા કિસન લાલજીભાઈ અદારીયા , રાહુલ ભીમાભાઇ અદારીયા, કૈલાશ અવચરભાઈ અદારિયા , સુરેશ રમેશભાઈ દેલવાણીયા વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ મેરા ભાઈ દેવાભાઈ ગમારા અને ચિરાગ મનસુખભાઈ બાબરીયા ને રૂ.૧૦૯૬૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જ્યારે જુગારનો ચોથો દરોડો જામનગર ના ૪૦ - દિ .પ્લોટ કમલિયા વાસ માં પાડવામાં આવ્યો હતો. અને મહેન્દ્ર પરસોતમભાઈ ગોરી, વિજય ખીમજીભાઇ કટારમલ , રાજેશ સુરેશભાઈ ગજરા તથા રાયસંગ રતનજી જાડેજા ને રૂ.૪૫૫૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત જામનગરના બેડી વિસ્તારમાં વરલીના આંકડાનો જુગાર રમતા ઇસા દાઉદભાઈ સુંભાનિયા, મુસ્તાક હનીફભાઈ પઠાણ અને કાસમ આમદભાઈ સોઢા ને રૂ ૮૧૭૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા જ્યારે હશન નુરમામદભાઈ જેડા ફરાર થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech