જન્મદિવસ નિમિત્તે ગરીબો અને વિધવા મહિલાઓને અપાયુ અનાજ

  • June 12, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના નટવરનગર ગામના અગ્રણીએ તેમના પુત્રના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવાપ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરીને અન્યને પણ પ્રેરણા આપી હતી. 
પોરબંદર જિલ્લામાં દિવ્યાંગોના ઉત્કર્ષ માટે અને તેને યોજનાઓનો લાભ અપાવવા માટે સતત કાર્યરત સંસ્થા શિવદૂત એસોસીએશનના પ્રમુખ અને નટવરનગરના અગ્રણી અર્જુનભાઇ ગોઢાણીયાએ તેમના પુત્ર ઓમને નવ વર્ષ પૂર્ણ થતા અને દસમા વર્ષમાં પ્રવેશ થતા તેના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યો યોજ્યા હતા. જેમાં પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ગરીબો, કર્લીરીવરફ્રન્ટ પાસેની ઝૂપડપટ્ટીના લોકો સહિત નટવરનગર, બગવદર અને ખાંભોદરમાં જ‚રીયાતમંદો અને વિધવા મહિલાઓને ઘઉ, તેલ, ચોખા, ચટણી, હળદર સહિત તમામ વસ્તુઓની ચીજવસ્તુઓની રાશનકીટ તૈયાર કરી ૫૩ પરિવારોને અર્પણ કરી હતી. આ પ્રસંગે અર્જુનભાઇ ગોઢાણીયાએ એવુ જણાવ્યુ હતુ કે તેઓ તથા તેમના પત્ની મીરાબેન અને પુત્ર ઓમનો જન્મદિવસ હોય છે ત્યારે કોઇપણ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામા આવતુ નથી પરંતુ જ‚રીયાતમંદોને રાશનકીટ વિતરણ કરીને સેવાકાર્ય યોજવામાં આવે છે અને તેના દ્વારા તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. ઓમ અર્જુન ગોઢાણીયાના જન્મદિવસ નિમિત્તે રાણાવાવના મહેર અગ્રણી હરભમભાઇ ભારાભાઇ કેશવાલાએ પણ જન્મદિવસની અઢળક શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રકારની સેવાપ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application