ભારતીય રાષ્ટ્રીય લોકદળના વડા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું આજે નિધન થયું છે. તેમણે તેમના ગુરુગ્રામના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 89 વર્ષના હતા. તેમના નિધનથી હરિયાણાના રાજકારણને ઘેરો આઘાત લાગ્યો છે. ચૌટાલા ભરતી કૌભાંડમાં જેલમાં પણ જઈ ચુક્યા હતા.
તેઓ 2 ડિસેમ્બર, 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને 171 દિવસ સુધી આ પદ પર રહ્યા. આ પછી તેઓ 12 જુલાઈ 1990ના રોજ સીએમ બન્યા અને પાંચ દિવસ સુધી સીએમ રહ્યા.
આ પછી તેઓ 22 માર્ચ 1991ના રોજ ફરીથી સીએમ બન્યા અને 15 દિવસ સુધી રહ્યા. 24 જુલાઈ 1999ના રોજ ઓમ પ્રકાશ ચૌટાલા ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા અને 2 માર્ચ 2000 સુધી રહ્યા. ત્યારબાદ તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. એટલે કે તેઓ 2005 સુધી મુખ્યમંત્રી રહ્યા.
ઓમપ્રકાશ ચૌટાલાનો જન્મ 1 જાન્યુઆરી 1935ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના ચૌટાલા ગામમાં થયો હતો. ચૌટાલા હરિયાણાના 7માં મુખ્યમંત્રી બન્યા હતા. તેમના પિતા ચૌધરી દેવીલાલ ચૌટાલાએ હરિયાણા રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને બાદમાં દેવીલાલ હરિયાણાના મુખ્ય પ્રધાન અને ભારતના નાયબ વડા પ્રધાન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech