ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસમાં વધુ એક આઇએએસની નિમણૂંક કરવામાં આવી છે. ડો.વિક્રાંત પાંડે મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે. જ્યારે અવંતિકા સિંઘ મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. વિક્રાંત પાંડે નવી દિલ્હી ખાતે રેસિડન્ટ કમિશનર ઓફ ગુજરાત હતા. હવે તેઓને મુખ્યમંત્રી ઓફિસમાં લાવવામાં આવ્યા છે.
ડો. વિક્રાંત પાંડે મૂળ રાજસ્થાનના વતની
નોંધનીંય છે કે, IAS અધિકારી ડો. વિક્રાંત પાંડેને નવેમ્બર 2019માં ડેપ્યુટેશન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના આંતરરાજ્ય પરિષદના ડિરેક્ટર તરીકે નિમણૂક આપીને લઈ જવાયા હતા. અગાઉ તેઓ રાજકોટના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
કોણ છે ડો.વિક્રાંત પાંડે?
ડો. વિક્રાંત પાંડે 2005ની બેચના IAS અધિકારી છે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા. ત્યારબાદ તેઓએ ડોક્ટરીનો વ્યવસાય છોડીને UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. UPSCમાં તેઓ જોડાયા હતા. તેઓ ગુજરાત સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા અધિકારી છે. ત્યારબાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન પણ તેમનાં પ્રદર્શનથી ખુશ થઇને સરકાર દ્વારા તેમને દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશનર બનાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech