રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી ૩૦ એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે.
૧.૨૩ લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
આ અંગે માહિતી આપતા કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. ૭,૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના ૧.૨૩ લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.
રાજ્યના ૫૮,૩૦૦ ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત તા. ૨૪ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અત્યારસુધીમાં રાજ્યના ૫૮,૩૦૦ જેટલા ખેડૂતો પાસેથી રૂ. ૮૪૧ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧.૧૧ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. નોંધણી કરાવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૩૦ એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહામદપરા નજીક ધુમ સ્પીડે જતી કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે મિત્રોના મોત
June 12, 2025 03:20 PMસોની બજારમાં મહિલા લેકચરરના મકાનમાં ૩.૭૭ લાખની ચોરી: ૩ ટાબરીયા ઝડપાયા
June 12, 2025 03:13 PMપોરબંદરમાં અકસ્માત અટકાવવા માટેની પત્રિકાનું થયું વિતરણ
June 12, 2025 02:55 PMભારતના લોકશાહી ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ શાસન નરેન્દ્ર મોદીનું
June 12, 2025 02:54 PMરામદેવપીરના મંડપમાં મીડિયાની ફરજમાં કાવટ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહીની થઈ માંગ
June 12, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech