સાંઢિયા ગટરના નવીનીકરણી કામગીરીમાં ઘોર બેદરકારી

  • June 11, 2025 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બાલુબા ક્ધયા વિદ્યાલય પાસે આવેલી વર્ષો જુની સાંઢીયા ગટરના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે,તેમાં નબળું કામ થતું હોવાના આક્ષેપ સાથે રજુઆત થઈ છે,જેમાં ગટરનો એક સાઈડનો હિસ્સો ગટરમાં જ પડી જતા આગેવાનો દોડી ગયા હતા.
પોરબંદર શહેરમાં ગત વર્ષે પડેલા વરસાદ સમયે નગરપાલિકાના તંત્રની પોલ ખુલ્લી હતી અને શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે એ સમયના જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીએ માથે ઉભા રહીને વર્ષો  જુની સાંઢીયા ગટર ખોલાવી હતી. ત્યારબાદ હવે એક વર્ષે તેના સમારકામનું ચોઘડિયું આવ્યું છે કારણ કે પોરબંદર નગરપાલિકા પાસે તેના રીપેરીંગના પૈસા ન હતા અને મહાનગરપાલિકા બન્યા પછી હવે કામગીરી શરૂ થઈ છે તો તેમાં પણ લોટ પાણી અને લાકડા જેવું કામ થઈ રહ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગટરની કામગીરી ચાલી રહી છે ત્યાં એક સાઈડથી અડધો હિસ્સો અંદર પડી ગયો હતો જેમાં એક મહિલા કામદારને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા અને અન્ય આગેવાનો ઉપરાંત સામાજિક કાર્યકર અમિતભાઈ ખોડા પણ ત્યાં દોડી ગયા હતા અને મ્યુનિસિપલ કમિશ્ર્નરને રોષ પુર્ણ રજુઆત કરી હતી.
તેઓએ એવુ જણાવ્યુ હતુ કે, ટેન્ડરના નિયમોનું પાલન કર્યા વગર કામ થઈ રહ્યું છે સાઈન બોર્ડ મુકવામાં આવ્યા નથી અને આડેધડ કામ થતું હોવાથી તથા ગુણવત્તા નબળી હોવાથી લોકોના ‚પિયા વેડફાઈ રહ્યા છે.પોરબંદરમાં વર્ષોથી વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે અને તેમાં ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ હોય છે તેથી હવે પોરબંદરના લોકો જાગી ગયા છે અને આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહી તેમ જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application