પ્લાસ્ટિકનું યોગ્ય રીતે વિસર્જન નહી થવાથી ફેલાઈ રહ્યું છે ભારે પ્રદુષણ

  • June 02, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના વનાણામાં આવેલી જી.આઇ.ડી.સી. ખાતે પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા ઔદ્યોગિક એકમોમાં પ્લાસ્ટિક વિસર્જન અને સલામત રિસાયક્લિંગ પદ્ધતિઓ વિષય પર જી.આઈ.ડી.સી વનાણા પોરબંદર ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદરના ઇન્ચાર્જ મેનેજર આર.એમ  વી.એ.પટેલે પ્લાસ્ટિક વિસર્જન પછીનું પ્લાસ્ટિક કચરો યોગ્ય રીતે દુર કરવાની પ્રક્રિયા અને પ્લાસ્ટિક વિસર્જન યોગ્ય રીતે ન કરવાથી પર્યાવરણમાં ભારે પ્રદુષણથી જમીન, પાણી અને હવામાં ટેક્સનિક અને હાનિકારક પ્રભાવ પેદા કરે તેના વિષે ઉદ્યોગકારો સાથે  વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં તેમણે પ્લાસ્ટિક વિસર્જનની રીતો જેવી કે, લેન્ડફિલ,બર્નિંગ,પ્લાસ્ટિક વિઘટન અને સલામત રિસાયક્લિંગ પદ્ધતિઓ મેકેનિકલ રિસાયક્લિંગ, કેમિકલ રિસાયક્લિંગ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News