ઝૂલતા પૂલની દૂર્ઘટના મુદ્દે હાઈકોર્ટે ઓરેવા કંપની સામે પિડીતોના મામલે આક્રમક મૂડ દાખવ્યો છે અને અત્યાર સુધી કંપની દ્રારા અસરગ્રસ્તો માટે કરાતી કામગીરીથી કોર્ટે નારાજગી દર્શાવી છે અને શું કોંક્રીટ કામગીરી કરી તેનો રિપોર્ટ માગ્યો છે. જે બાબતે પણ આગામી સુનાવણી ૧૯ જૂન પર રખાઈ છે. તાજેતરમાં જ કંપનીના એમડી જયસુખ પટેલને જામીન મળ્યા છે.
ગુજરાત હાઈકોર્ટમાં ઝૂલતા પૂલની ઘટનાના પિડીતોના પુન:વસનને લઈને સુનાવણી ચાલી રહી છે. છેલ્લ ે કોર્ટના હત્પકમના અનાદર બદલ હાઇકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેકટરો સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી. કંપની તરફથી હાઈકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શોકોઝ નોટિસ અને કલેકટર દ્રારા પિડીતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લ ા કલેકટરે પિડીતોને જે વળતર આપવા કહ્યું હતું તે વળતર આપવા કંપની તૈયાર છે. જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓને પ્રતિમાસ ૧૨,૦૦૦ આપવા કલેકટરે સૂચવ્યું હતું. યારે અગાઉ કંપની ૫,૦૦૦ આપવા તૈયાર હતી. કંપનીએ કહ્યું હતું કે, કોર્ટના સૂચન મુજબ પિડીતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. કલેકટરે સૂચવેલ મુજબનું વળતર તેઓ ૩૦ એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજિસ્ટર્ડ થશે ત્યારે તેના બેન્ક ખાતામાં અથવા લિગલ એડમાં જમા કરાવવા તૈયાર છે.
કોર્ટે કંપનીની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે કંપનીએ પીઆઈએલમાં પિડીતોને વળતર ચૂકવણી અંગે સહકાર આપવાની વાત કરી છે. ત્યારે કંપનીને ટકોર કરતાં આ દુર્ઘટનામાં ૪૦ ટકા દિવ્યાંગ બનેલી યુવતીની પરિસ્થિતી વિશે શું વિચાયુ છે? તેવો સવાલ કોર્ટે કંપનીને પૂછયો હતો. એમપણ કહ્યું હતું કે, કંપનીના હોદેદારોએ ચેમ્બરમાં બેસીને વિચાયુ છે કે પિડીતોનું શું થતું હશે? સમાજમાં કેવી રીતે સર્વાઈવ કરશે? પિડીતો પાસે પૈસા નથી તેનું શું? આ ઘટનામાં દિવ્યાંગ બનેલી વ્યકિત તેના પરિવારની જવાબદારી કેવી રીતે નિભાવી શકશે? આ પિડીતોના આશ્રય વિશે અને તેમના જિવન વિશે વિચાયુ છે?
વધુમાં એવું પણ કહ્યું કે, તમે મોરબીના લોકો પાસેથી કમાવ છો, જો ત્યાંથી તમને કર્મચારી ન મળ્યા હોત તો કેવી રીતે કંપની ચાલત? સમાજના જવાબદાર વ્યકિત હોવા છતાં તમે બેજવાબદાર સાબિત થયા છો. કોર્ટની પિડીતોને વળતર આપવા કંપની પાસેથી કોંક્રીટ પ્રસ્તાવ જોઈએ છે એટલે કોર્ટ તમારી પાસેથી પ્રસ્તાવ માગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech