ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર વૈશ્વિક બજારની સાથે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ગઈકાલની ભારે વધઘટ બાદ આજે ફરી શેરબજારમાં વેચવાલીનો સમયગાળો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે આજે શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 586 પોઈન્ટ ઘટીને 72,815.15 પર અને નિફ્ટી 168.65 પોઈન્ટ ઘટીને 22,103.85 પર છે.
સવારે 9.38 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 291.52 પોઇન્ટ (0.40%) ના ઘટાડા સાથે 73,108.26 પર અને નિફ્ટી 68.95 પોઇન્ટ (0.31%) ના ઘટાડા સાથે 22,203.55 પર ટ્રેડ કરી રહ્યો હતો.
સોમવારે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઘટ્યો અને 845.12 પોઈન્ટ અથવા 1.14 ટકાના ઘટાડા સાથે 73,399.78 પોઈન્ટ પર બંધ થયો. ગઈકાલે ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે ઘટીને 929.74 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. આ ઘટાડા સાથે બીએસઈ લિસ્ટેડ કંપ્નીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5,18,953.97 કરોડ ઘટીને રૂ. 3,94,48,097.90 કરોડ થયું હતું. આ ઘટાડાને કારણે રોકાણકારોને 5.18 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મૂડીબજારમાં ગઈકાલે રૂ. 3,268 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech