સિહોર ટાણામાં આવેલ તળાવમાં ગાંડી વેલે છેલ્લા કેટલાક સમયથી પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. હાલમાં પણ તળાવ પર ગાંડી વેલ છવાયેલી છે અને તેના ઉપર કચરાના ઢગલા જાવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય અને રોગચાળો ફાટી નીકળે તેવો ભય રહેલો છે. વર્તમાનમાં જ આસપાસ વિસ્તારોમાં ઘરે-ઘરે ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ખાટલા છે. આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્ર દ્વારા ગંદકીની સફાઈ અંગેની કામગીરીમાં ઉદાસીનતા દાખવે છે. જેના કારણે લોકોએ રોગચાળાનો શિકાર થવું પડે છે. ત્યારે ગંદકીના ગંજ અને ગાંડી વેલ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
તળાવમાં ગાંડી વેલ નો ઉપદ્રવ ઘણા સમયથી છે અને આ વેલ ના કારણે તળાવ મા સંગ્રહ કરેલ કુદરતી જળ સ્ત્રોત ને નુકશાન થય રહ્યું છે તેમજ આ વેલ ના કારણે આજુ બાજુના લોકોને મચ્છર જનય રોગો થવાની શક્યતા છે તેમજ આ વિસ્તાર ના ખેડુતોને આ તળાવ ના પાણી થી જે લાભ થાય એમ છે તે ખેડુતો ને પણ નુકશાન થય રહ્યું છે આ તળાવ એક કિલ્લોમીટર ની લંબાઇ મા આવેલ છે જેમા મોટા પ્રમાણ મા કુદરતી જળ સ્ત્રોત નો સંગ્રહ થાય છે પણ હાલ મા આ વેલ ના કારણે તળાવ મા પાણી લાંબા સમય સુધી રહેતુ નથી એટલે ખેડુતો ને પણ આ કારણે નુકશાની વેઠવી પડે છે. આ બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ફરી ટાણાના તળાવમાં ગાંડી વેલનો ઉપદ્રવ છેલ્લા ઘણા સમયથી છે, તળાવ મા સંગ્રહ કરેલ કુદરતી જળ સ્ત્રોત ને નુકશાન થય રહ્યું હોય સત્વરે ગાંડી વેલનું સામ્રાજ્ય હટાવવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMપોરબંદરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ સહિત કાર્યક્રમ યોજાયા
June 09, 2025 10:31 AMરાજકોટ : આયાત ડ્યુટી ઘટતા વેપારીઓ ચિંતિત, ગ્રાહકો ખુશખુશાલ
June 09, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech