પાર્ટનરની ઓનલાઈન જાસૂસીના મામલે પણ ભારત પાછળ નથી. પહેલા ક્રમે રશિયા અને બીજા ક્રમે બ્રાઝીલ આવે છે, ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. પતિ-પત્ની સિવાય વર્તમાન કે ભૂતપૂર્વ પાર્ટનર્સ ’સ્ટોકરવેર’ એપ દ્વારા ઓનલાઈન એકબીજાની જાસૂસી કરી રહ્યા છે. ભારતમાં 2,492 મોબાઈલ યુઝર તેનો શિકાર જોવા મળ્યા હતા.
રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે વિશ્વભરના 23 ટકા લોકો માને છે કે જ્યારે તેમના પાર્ટનરે સંબંધો બગડવા પર બેવફાઈ સાબિત કરવા માટે તેમની ઑનલાઇન જાસૂસી કરાવી હતી. સાઇબર સિક્યોરિટી કંપ્ની દ્વારા બહાર પાડવામાં આવેલ સ્ટેટ ઓફ સ્ટોકરવેર રિપોર્ટ 2023 અનુસાર, ભારતમાં 2,492 મોબાઈલ યુઝર્સ સ્ટોકરવેરથી પીડિત છે. રશિયા 9,890 પીડિતો સાથે પ્રથમ અને બ્રાઝિલ 4,186 સાથે બીજા ક્રમે છે. સર્વેમાં સામેલ 40 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ ઓનલાઈન હેરેસમેન્ટનો ભોગ બન્યા છે.
નોંધનીય છે કે ડિજિટલ હિંસા એ વિશ્વમાં એક નવો ટ્રેન્ડ છે, જેમાં મહિલાઓને શારીરિક, માનસિક અથવા સામાજિક નુકસાન પહોંચાડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે., એન્ટી થેફ્ટ, પેરેંટલ કંટ્રોલ એપ્લિકેશન અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા ફોનમાં સ્ટોકરવેર એપ્લિકેશન ગુપ્ત રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તેના દ્વારા તેઓ ફોનના નોટિફિકેશન, લોકેશન, ફોટો, કેમેરા સ્ક્રીનશોટ, એસએમએસ, કેલેન્ડર અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખે છે.
નિષ્ણાતોના મતે, સ્ટોકરવેરથી બચવા માટે પહેલા તે એપ્સને દૂર કરો જે ઉપયોગમાં નથી. તેની સાથે સિક્યોરિટી સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય ફેક્ટરી રીસેટ વિકલ્પ પણ ઉપયોગી થઈ શકે છે. જો કે, સૌ પ્રથમ સ્થાનિક સાઇબર ક્રાઈમ સંસ્થાની મદદ લેવી જોઈએ. આવા જોખમથી બચવા માટે ફોનને હંમેશા યુનિક પાસવર્ડથી લોક રાખો અને તેને કોઈની સાથે શેર ન કરો. કોઈપણ એપ્ને હંમેશા સત્તાવાર સ્ત્રોતમાંથી જ ડાઉનલોડ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના લઘુમતિ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવા થઇ માંગ
June 09, 2025 02:42 PMગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા થનબર્ગની જહાજ રોકી ધરપકડ
June 09, 2025 02:41 PMરાફેલ મુદ્દે ભારત - ફ્રાંસ વચ્ચે અણબનાવ? એસ જયશંકર આવતા સપ્તાહે પેરિસ જશે
June 09, 2025 02:40 PMબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech