આ કેસની હકીક્ત એવી છે કે, જામનગરનાં રહીશ જય કમલેશભાઈ મહેતા એચ.ડી. એફ. સી. એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડની પોલીસી ધરાવતા હતાં. આ પોલીસીન સમયગાળા દરમ્યાન ફરિયાદીને બિમારી થતાં અમરી હોસ્પીટલ ક્લકના રીએક્ટીવ આર્થાટીસની સારવાર માટે તા.૨૫/૦૪/૨૦૨૩ થી તા. ૦૫/૦૫/૨૦૨૩ સુધી દાખલ રહી ઓપરેશન કરાવેલ, અને આ સારવારમાં ફરિયાદીને રૂા. ૧,૫૧,૧૨૭નો ખર્ચ થયેલ. જે તમામ પેપર્સ, બિલ વિગેરે સાથે ફરિયાદીએ વિમા કંપની સમક્ષ કક્લેઈમ નોંધાવેલ. ક્લેઈમ નોંધાવ્યા બાદ પણ વિમા કંપની દ્વારા જે જે કાગળો માંગવામાં આવેલા તે ફરિયાદીએ પુરા પાડેલા.
તેમ છતાં વિમા કંપની દ્વારા ફરિયાદીને થયેલ ખર્ચ ચુકવવાના બદલે ખોટી રીતે કલેઈમ્ રદ્ કરેલ તથા ફરિયાદીની પોલીસી પણ આઇઆરડીએ નાં રૂલ્સથી વિરૂધ્ધ કેન્સલ કરી નાખેલ. જે પણ ગેરકાયદેસર પ્રોસીજર હોય, જેની જાણ ફરિયાદીને થતાં ફરિયાદીએ મેઇલ કરી વાંધા રજુ કરી રકમ ચુકવી આપવા જણાવેલ. જે માંગણી મુજબ રકમ ન ચુકવતા ફરિયાદી દ્વારા જામનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરી રૂા. ૧,૫૧,૧૨૭ તથા માનસીક દુઃખ ત્રાસ તથા આઘાત અને ફરિયાદ ખર્ચ માંગવામાં આવેલ. જે ફરિયાદ ચાલી જતાં ફરિયાદી તરફે મજબૂત પુરાવાઓ ધ્યાને લઈ ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં અધ્યક્ષ પી. સી. રાવલ તથા મેમ્બર એચ. એસ. દવે દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરી રૂા. ૧,૫૧,૧૨૭ વાર્ષિક ૬ % વ્યાજ તથા રૂા. ૫,૦૦૦ ખર્ચ તથા માનસીક દુઃખ ત્રાસના ચુક્વવાનો હુકમ કરેલ છે. તથા વિમા કંપનીએ ફરી પ્રિમીયમ લઇ ફરિયાદીને પોલીસી ચાલુ કરી આપવાનો હુકમ કરેલ છે.
ઉપરોકત્ત કેસમાં ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી તથા નેહલ સંચાણીયા રોકાયેલા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech