રાજકોટ શહેર પોલીસ બેડામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા સાત પીઆઈની આંતરીક બદલી કરાઈ છે. જેમાં મજબુત ગણાતા એવા આર્થિક ભારણવાળા ઈકોનોમીક ઓફેન્સ વીંગ (ઈઓડબલ્યુ)માં કે.જે.કરપડાને મુકવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચમાં પણ એક પીઆઈનો વધારો કરી ત્યાં સી.એચ.જાદવને પોષ્ટ્રીંગ અપાયું છે. જાદવની જગ્યા એન્ટી હૃયુમન ટ્રાફિકીંગ યુનીટમાં પ્ર.નગર પીઆઈ બી.એમ.ઝણકાંટની બદલી કરાઈ છે. બદલીમાં કોઈ ગેમીંગ નડી ગયાની ચર્ચા છે.
ઈઓડબલ્યુના પીઆઈ જે.એમ.કૈલા સામે હાઈકોર્ટમાં આર્થિક વહીવટ બાબતે થયેલી બાદ કૈલાને લીવ રીઝર્વમાં મુકી દેવાયા હતા અને અત્યાર સુધી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાને ચાર્જ આપી ગાડુ ગબડાવ્યું હતું. જો કે, આર્થિક ભારણવાળા આ મહત્વના સેલમાં ઈન્ચાર્જના બદલે રેગ્યુલર પોષ્ટ્રીંગ થાય તો જ વ્યવસ્થિત અને ધાર્યું કામ થઈ શકે કે નીકળી શકે. હવે આર્થિક ગુના નિવારણ સેલ (ઈઓડબલ્યુ)માં સરળ ગણાતા ગાંધીગ્રામના પીઆઈ કે.જે.કરપડાને મુકવામાં આવ્યા છે. ત્રણ પીઆઈને લીવ રીઝર્વમાંથી મુકિત મળી છે. જેમાં બેને ફિલ્ડમાં કામ કરવાની તક સાંપડી છે. પીઆઈ એસ.આર.મેવાણીને ગાંધીગ્રામ પોલીસ મથકમાં, વી.આર.વસાવાની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જયારે જી.આર.ચૌહાણને એમઓબીમાં મુકવામાં આવ્યા છે. ત્યાંના એસ.ડી.ગીલવાને પણ મહત્વના ગણાતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સ્થાન મળ્યંું છે.
એલસીબી ઝોન–૧માં
પીએસઆઇ પણ બદલાયા
સાત પીઆઈની આંતરીક બદલી થયાની સાથે એલસીબી ઝોન–૧ની ટીમમાં ફેરફાર થયો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા તથા જીતુભા ઝાલાની બદલી કરાયા બાદ પીએસઆઈ બી.વી.બોરીસાગરની બદલી પ્ર.નગર પોલીસ મથકમાં કરાઈ છે. તેમના સ્થાને પ્ર.નગરના બી.વી.ચુડાસમાને મુકવામાં આવ્યા છે. ક્રાઇમબ્રાંચ પીઆઇ ગોંડલીયા સાથે પ્ર.નગરમાં અગાઉ પીએસઆઇ ચુડાસમા ફરજ બજાવી ચૂકયા હોવાથી ટયુનીંગ જળવાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech