ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાછળ ઉર્જા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી અહીંથી સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 15,000 રોકડ સહિત કુલ રૂપિયા 46,400 મતદાન ચોરી કરી ગયા હતા. જે અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વડીયા તાલુકાના અમરનગરના વતની અને હાલ ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાછળ ઉર્જા સોસાયટીમાં રહેતા પ્રતાપભાઈ છગનભાઈ ગોહેલ (ઉ.વ 64) દ્વારા ચોરીના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રતાપભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં ગોંડલ જામવાળી જીઆઇડીસીમાં કૃષિરાજ ટ્રેક્ટર નામના કારખાનામાં મજૂરીકામ કરે છે. તેમણે અહીં ઉર્જા સોસાયટીમાં ભાડે મકાન રાખ્યું હોય ત્રણેક મહિના પૂર્વે આ મકાનની સામે ઘરનું મકાન ખરીદ્યું છે.
ગત તારીખ 18/ 6/ 2024 ના તે તથા તેમના પત્ની સરોજબેન અહીં ભાડાના મકાનને તાળું મારી સામે આવેલા ઘરના મકાનની છત પર સૂવા માટે ગયા હતા. રાત્રિના બે વાગ્યા આસપાસ શેરીમાં અવાજ થતાં તેમણે છત પરથી જોતા શેરીમાં સામે આવેલા તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું હોય બાદમાં ઘરમાં જઇ તપાસ કરતા લોખંડનો કબાટ રાખ્યો હતો તે કબાટના દરવાજા ખુલ્લા હોય ચોરી થયાની શંકા ગઈ હતી. કબાટમાં લોકરનું તાળું પણ તૂટેલું હોય તપાસ કરતા તેમાંથી રૂપિયા 31,400 ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂ.15,000 રોકડ સહિત કુલ રૂપિયા 46,400 ની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટના બન્યા બાદ વૃદ્ધ પતિ-પત્નીને બહારગામ જવાનું થતા જે તે સમયે પોલીસમાં અરજી આપી હતી પરંતુ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં તેમણે આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હવે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech