રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર આવેલી ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલના બે બિલ્ડીંગને જોડવા માટે રોડ ઉપર પુલ-બ્રિજ જેવું સ્ટીલ સ્ટ્રક્ચર બનાવાયું છે જે ગેરકાયદેસર બાંધકામ હોવાના મામલે કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છના વિભાગીય પ્રવક્તા સંજયભાઇ લાખાણી અને કૃષ્ણદત્ત રૂદ્રદત્તભાઇ રાવલએ તેમના એડવોકેટ લાખાણી એન્ડ લાખાણી લિગલ કન્સલ્ટન્સી-અમદાવાદ મારફતે રજીસ્ટર એડીથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જોગ મ્યુનિસિપલ કમિશનરને અને ગોકુલ હોસ્પિટલ જોગ તેના ચેરમેન ડો.પ્રકાશ મોઢાને લિગલ નોટિસ ફટકારી છે. દરમિયાન આજરોજ બન્ને પ્રવક્તા આજકાલ દૈનિક કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને અખબારી યાદીના માધ્યમથી ઉપરોક્ત વિગતો જાહેર કરી હતી.
સત્તાધારી પક્ષો અધિકારીઓ ઉપર દબાણ લાવી ગેરકાનુની કામ કરતા હોય છે
વિશેષમાં આજકાલ દૈનિક કાર્યાલયની મુલાકાત વેળાએ સંજયભાઇ લાખાણી અને કૃષ્ણદત્ત રૂદ્રદત્તભાઇ રાવલએ આપેલી અખબારી યાદીમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાજકીય પક્ષ પ્રેરિત જુદા જુદા પ્રોફેશનલ, વ્યાપારીક, સામાજિક તથા સખાવતી સંગઠનના કાર્યકરો જે તે રાજકીય પક્ષોની સત્તા હોઈ તેની પાસેથી ગેરકાયદેસર કામો કરાવવા માટે દબાણ લાવતા હોય છે અને આવા દબાણોના તાબે થઇ સત્તાધારી પક્ષો અધિકારીઓ ઉપર દબાણ લાવી ગેરકાનુની કામ કરતા હોય છે.
હોસ્પિટલમાં પુલનું સ્ટીલ સ્ટ્રકચર ઉભુ કર્યું
આ પૈકીનો એક કિસ્સો રાજકોટના ખ્યાતનામ ન્યુરોસર્જન ડો.પ્રકાશ મોઢાની વિદ્યાનગર રોડ ઉપર ગોકુલ હોસ્પીટલ દ્વારા રોડ ઉપર પુલ/બ્રીજનું સ્ટીલ સ્ટ્રકચર ઉભુ કરી રોડ સાઈડની બન્ને બાજુની ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર-મંગળા રોડ ઉપર જોડવામાં આવેલ છે તે બાંધકામના બાય-લોઝ વિરૂધ્ધ છે તથા ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમોની જોગવાઈ વિરૂધ્ધ બનાવવામાં આવેલ છે અને તે પુલ-બ્રીજને મ્યુનિસીપલ કોર્પોરેશશના જનરલ બોર્ડની તા.૨૮-૨-૨૦૧૯ની મીટીંગના ઠરાવ નં.૭૧થી મંજુરી પણ આપવામાં આવેલ છે.
ડો.પ્રકાશ મોઢાની હોસ્પીટલ બાબતે ઉદાહરણ લાગુ પડતુ નથી
જેમાં તે ઠરાવને બોમ્બેની હિન્દુજા હોસ્પીટલ તથા સેટેલાઈટ હોસ્પીટલને ઘ્યાનમાં લીધેલ છે, તો તે અન્ય રાજ્યના નિયમો ગુજરાત રાજ્યના જીડીસીઆરને લાગુ પડે નહી તેમ છતા તેની વિગતને દર્શાવેલ છે તેમજ રામકૃષ્ણ આશ્રમ સંચાલીત હોસ્પીટલ આશ્રમ આશ્રમને જોડતા પુલનો ઉલ્લેખ કરવામાં આવેલ તે પણ ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલને લાગુ પડતુ નથી, કેમ કે રામકૃષ્ણ આશ્રમની બન્ને મિલ્કત વચ્ચે ગુજરાત રાજ્ય સરકારની માલિકીનો વોંકળો આવેલ છે અને તે પૂર્વ વોંકળા ઉપર બનાવેલ હોઈ તેથી ડો.પ્રકાશ મોઢાની હોસ્પીટલ બાબતે ઉદાહરણ લાગુ પડતુ નથી.
સત્તાનો દુરઉપયોગ કરવામા આવ્યો
યાદીમાં આક્ષેપો કરતા ઉમેર્યું છે કે જનરલ બોર્ડના ઠરાવમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવા પ્રકારની કોઇ મંજુરી માટે પ્રવર્તમાન જીડીસીઆરમાં કોઇ જોગવાઇ ન હોવાથી અરજદારની અરજી પરત્વે ખાસ કિસ્સા તરીકે મંજુરી આપવાની રહે છે. આ મુજબ ઠરાવમાં જ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓએ સ્પષ્ટ સમજણપૂર્વક લખેલ છે કે જીડીસીઆરમાં કોઇ જોગવાઇ ન હોય તેમ છતા આવા ખોટા ઠરાવને મંજુરી આપવા પોતાની સત્તાનો દુરઉપયોગ કરવામા આવ્યો છે તેવુ જણાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech