શેઠને પડોશી સાથે થયેલી માથાકૂટના ફોટો ચોકીદારે શેઠને આપ્યા હોવાની શંકાએ ચોકીદાર આધેડને શખ્સે પાઈપથી મારમારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને ફેક્ચર હોવાનું નિદાન થતા ચોકીદાર આધેડએ શખસ સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નાગલપરમા આવેલી કલરવ પાર્ક સોસાયટીમાં રહેતા અને ત્યાં જ વોચમેન તરીકે નોકરી કટ ભાવેશભાઈ જીવરાજભાઈ વાણીયા (ઉ.વ.53) નામના આધેડ સોસાયટીમાં ખુરશી બેઠા હતા ત્યારે સોસાયટીમાં રહેતા અજય ભાઈ પરસોડાના મિત્ર સુરેશ ઉકેડીયા ચોકીદાર આધેડ પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, એકાદ મહિના પહેલા સોસાયટીમાં માથાકૂટ થઇ હતી એ ફોટા તે તારા શેઠ મનીષભાઈને મોકલ્યા હતા ને ? આથી આધેડે ના પાડી કહ્યું હતું કે, હું તો મુંબઈ હતો અને એમસી છતાં વિશ્વાસ ન હોય તો ફોન ચેક કરી લ્યો, ફોન ચેક કરતા કરતા સુરેશ ઉકેડીયા વધુ ઉશ્કેરાયો હતો અને હાથમાં રહેલા પાઇપ વડે આડેધડ મારમાર્યો હતો. પ્રૌઢ નીચે પડી જતા સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો અને હાથમાંથી લોહી નીકળતા તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ત્યાં હાજર ડોક્ટરએ ડાબા હાથમાં ફ્રેક્ચરની ઇજા હોવાનું કહ્યું હતું.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે આધેડની ફરિયાદ પરથી સુરેશ ઉકેડીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech