ભાણવડ તાલુકામાં ફતેપુર વાડી શાળા -૨, હાથલા વાડી શાળા, જામપર વાડી શાળા -૧ તેમજ સાજડીયારી વાડી શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
સંચાલક-કમ-કુક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ (૧૦મું ધોરણ પાસ) તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી ૨૦ વર્ષ પૂર્ણ તથા વધુમાં વધુ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.
અરજી કરવા માટે ઈચ્છુક વ્યકિતઓએ ભાણવડ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા.૨૩/૦૫/૨૦૨૫થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીનો રહેશે. સમયમર્યાદા બાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech