ખંભાળિયા તાલુકાના સલાયામાં ગ્રામ દેવતા શ્રી માધવરાયજી ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ ભીમ અગિયારસના પાવન પર્વે શુક્રવાર તા. 6 ના રોજ યોજવામાં આવ્યો છે.
પ્રથમ વખત યોજાયેલા આ પાટોત્સવ નિમિતે મૂળ સલાયાના વતની અને હાલ ખંભાળિયા રહેતા રઘુવંશી સદગૃહસ્થ સ્વ. મધુબેન રસિકભાઈ કેશવજીભાઈ તન્નાની સ્મૃતિમાં આંબા ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ આંબા ઉત્સવના દર્શન સાંજે 5 થી 7:30 વાગ્યા સુધી થશે. જેનો લાભ લેવા મંદિરના મુખ્યજી શ્યામભાઈ દવે દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે. આ આંબા ઉત્સવની તૈયારીઓ માટે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા તેમજ તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech