પોરબંદર જિલ્લાના ત્રણે તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકો માટેની યોજાઇ બેઠક

  • June 11, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ભાજપના ત્રણે તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકોની બેઠક યોજવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સુચના મુજબ સંગઠનના દરેક મંડળના શક્તિ કેન્દ્રના સંયોજકોની બેઠક રાખેલ હતી.આ બેઠકમાં શક્તિ કેન્દ્રના સંયોજકોને સંગઠનનું માર્ગદર્શન અને આગામી સંગઠન ના કાર્યક્રમો બુથ સુધી લઇ જાવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ,
૬ મંડળમાં આ બેઠકો થઇ હતી,કુતિયાણા શહેર અને કુતિયાણા તાલુકાની બેઠક હતી,ત્યારબાદ રાણાવાવ શહેર અને રાણાવાવ તાલુકાની બેઠક હતી.પોરબદંર શહેર અને પોરબંદર તાલુકાની બેઠકોમાં ઉપસ્થિત પુર્વ કેબિનેટ મંત્રી અને અસારવા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય  પ્રદીપભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,જિલ્લા ભાજપ મહામંત્રી  અશોકભાઈ મોઢા,સિનિયર આગેવાન  કેતનભાઈ દાની તમામ મંડળ પ્રમુખ અને મહામંત્રી અને સિનિયર આગેવાનો હાજર રહ્યા હતા.
આ તમામ બેઠકોમાં શક્તિ કેન્દ્રના સયોજકોને માર્ગદર્શન પુર્વ કેબિનેટમંત્રી અસારવા પુર્વ ધારાસભ્ય  પ્રદીપભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application