મેટોડા જીઆઇડીસીમાં રહેતી 23 વર્ષીય યુવતી ઘર કંકાશના કારણે કંટાળી જઇ ગઈકાલ વહેલી સવારના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગઈ હતી. યુવતીના પિતાએ તેને ફોન કરતા તેણે કહ્યું હતું કે, હું આત્મહત્યા કરવા જાઉં છું અને મને કોઈ શોધવા આવશો નહીં. આમ કહેતા યુવતીના પિતા ચિંતાતુર બન્યા હતા અને તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ.શર્મા દ્વારા સ્ટાફને આ બાબતે તાકીદે તપાસ કરી યુવતીને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. દરમિયાન એએસઆઈ ભૂમિકાબેન પ્રદીપભાઈ વ્યાસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી યુવતીને રાજકોટના માધાપર ચોકડી પાસેના વિસ્તાર નજીકથી શોધી કાઢી હતી.
પોલીસે યુવતીનું યોગ્ય કાઉન્સિલિંગ કરી આ મહામૂલ્ય માનવ જિંદગીનું મહત્વ સમજાવી ભવિષ્યમાં આત્મહત્યા જેવું પગલું ન ભરે તે માટે કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ યુવતીને પરિવારને સોંપી હતી. યુવતીના પરિવારજનોએ પોલીસની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં મેટોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ. શર્માની રાહબરી હેઠળ એસઆઈ ભૂમિકાબેન, હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ, અજયભાઈ અને કોન્સ્ટેબલ રવુભાઈ સહિતનાઓ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech