ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૪ –૨૫ માં સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્રારા કરવામાં આવશે તેવી જાહેરાત પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કરી છે.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી માટે પ્રતિકવીન્ટલ જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેમાં . ૩૦૦ નું વધારાનું બોનસ આપવાનો પણ સરકારે નિર્ણય કર્યેા છે.
સરકારે જે ટેકાના ભાવ કિવન્ટલ દીઠ જાહેર કર્યા છે તેમાં ઘઉંના ૨૨૭૫, બાજરીના ૨૫૦૦ હાઈબ્રીડ જુવારના ૩૧૮૦ માલદંડી જુવારના ૩૨૨૫ અને મકાઈના ૨૦૯૦ ભાવ જાહેર કરવામાં આવ્યા છે.જે ખેડૂતો ટેકાના ભાવે માલ વેચવા માંગતા હોય તેમણે રાય સરકારના એફપીપી પોર્ટલ પર તારીખ ૨૬ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. તારીખ ૧૫ માર્ચથી સરકાર નક્કી કરે ત્યાં સુધી ખરીદી ચાલુ રહેશે અને આ માટે રાયમાં ૧૯૬ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન વખતે આધાર કાર્ડ ગામ નમુના સાતબાર તથા આઠ અ ની અધતન નકલ રજૂ કરવાની રહેશે. ગામ નમુના બારમાં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા સાથેનો અધ્યતન દાખલો રજૂ કરવાનો રહેશે. ખાતેદાર ખેડૂતના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક ની નકલ સાથે જોડવાની રહેશે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ સાથેના બાયોમેટિ્રક ઓથેન્ટિફિકેશન દ્રારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech