સિહોરના ઘાંઘળી, નેસડા, વરતેજ સહિત ૩ સ્થળે ખાણખનીજ તંત્રના દરોડામાં રૂ.૧.૩૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ છે. ગ્રામ્યના રસ્તા તથા માર્ગો ઉપર ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા તત્વોને પકડવામાં આવી રહ્યા છે તેવી સ્થિતિ વચ્ચે હવે જમીનમાં ગેરકાયદે ખોદકામ કરતા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ભુસ્તર તંત્ર દ્વારા સિહોરના ઘાંઘળી અને નેસડા ગામે બિનઅધિકૃત સાદી માટીના ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી.
જિલ્લાના ભુસ્તર તંત્રની ટીમ દ્વારા સિહોર પંથકના ઘાંઘળી અને નેસડા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ઘાંઘળી, નેસડા અને વરતેજની આ કાર્યવાહીમાં જેસીબી અને ડમ્પર વાહનો સહિત આશરે ૧.૩૫ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ વાહનોન માલિકો સામે નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ખાણખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech