રાજકોટ મહાનગરપાલિકાને ગત નાણાકીય વર્ષ ૨૦૨૩– ૨૪ અંતર્ગત મિલકત વેરા વસુલાતનો .૪૦૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. દરમિયાન નાણાકીય વર્ષના અંતિમ કવાર્ટરમાં ૪૦૦ કરોડની વેરા વસુલાત થઇ શકશે નહીં તેમ જણાતા બજેટ રિવિઝન મિટિંગમાં આ ટાર્ગેટ ઘટાડીને ૩૭૫ કરોડ કરવામાં આવ્યો હતો પરંતુ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચ ૩૭૫ કરોડનો ટાર્ગેટ હાંસલ કરવામાં પણ નિષ્ફળ રહી છે અને ફકત ૩૬૫ કરોડનો વેરો વસુલી સંતોષ માની લીધો છે. ટાર્ગેટ પૂર્ણ નહીં થવાનું મુખ્ય કારણ મોબાઇલ ટાવર્સનો બાકી મિલકત વેરો છે જો મોબાઈલ ટાવર્સનો મિલકત વેરો વસુલાઈ ગયો હોત તો ટાર્ગેટ પ્લસ આવક થઇ શકી હોત તેમ કહેવામાં અતિશયોકિત નથી.
વિશેષમાં મ્યુનિ. સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ટાર્ગેટ પૂર્ણ કરવામાં ફકત ૧૦ કરોડનું છેટું રહી ગયું. ગતરાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં ૩૬૫ કરોડની આવક થઇ હતી. મોબાઇલ ટાવર્સનો અંદાજે ૮૦ કરોડ અને કેન્દ્ર તેમજ રાય સરકારની વિવિધ સરકારી કચેરીઓનો ૫૦ કરોડનો બાકીવેરો વસુલવામાં નિષ્ફળતા મળી છે. અહીં સો મણનો સવાલ એ છે કે નાના વેપારીઓની દુકાનો, શોમ અને ઓફિસો તેમજ નવા ઉધોગ સાહસિકોના કારખાના સીલ કરવા દોડધામ કરનાર રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ કોર્પેારેટ કંપનીઓના ઘૂંટણિયે કેમ પડી જાય છે ? તેમનો બાકી વેરો વસૂલવા કેમ મોબાઇલ ટાવરને ટાંચ જિની કે સીલ કરવાની નોટિસ આપતી નથી
મોબાઇલ ટાવરના ટેકસની કામગીરી સંભાળતા અધિકારીનું રાજીનામું મંજૂર
રાજકોટ મહાપાલિકામાં મોબાઇલ ટાવરોનો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી કરતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વાસંતીબેન પ્રજાપતિએ વય નિવૃત થતા પૂર્વે આપેલું સ્વૈચ્છીક રાજીનામુ તાજેતરમાં મ્યુનિસિપલ આનદં પટેલએ મંજુર કરતા હવે આજથી તેઓ ફરજ ઉપર નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech