પોરબંદરના ગાંધીજન્મસ્થાન કીર્તિમંદિરે ફરવા આવેલ યુ.પી.ના પ્રવાસી મોબાઇલ ભૂલી ગયા હતા. હોમગાર્ડ જવાનને આ મોબાઇલ મળતા ફરજનિષ્ઠા સાથેની પ્રામાણિકતા દશાવીને તેમણે એ મોબાઇલ પ્રવાસીને પરત કર્યો હતો. બનાવની વિગત એવી છે કે ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના નાવલી ગામના પ્રવીણકુમાર ગુપ્તા નામના પ્રવાસી પોરબંદર ફરવા આવ્યા હતા અને ગાંધીજન્મસ્થાન કીર્તિમંદિરની મુલાકાત લીધી હતી અને કીર્તિમંદિરના દરેક ખંડને નિહાળ્યા બાદ પરત ગયા ત્યારે મુખ્ય દરવાજા પાસે તેમનો ૧૬ હજાર પિયાનો મોબાઇલ ભૂલી ગયા હતા. કીર્તિમંદિર ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા એ.આઇ.ગડનનું તેના પર ધ્યાન પડતા તેમણે પોતાની પાસે એ ફોન સાચવ્યો હતો અને એકાદ કલાક પછી પ્રવીણકુમાર ગુપ્તાનો તેમાં ફોન આવતા કીર્તિમંદિર ખાતે આવીને ખરાઇ કરીને ફોન લઇ જવા જણાવ્યુ હતુ અને કીર્તિમંદિર ઓફિસના સ્ટાફ કર્મચારી ભાવીનભાઇની હાજરીમાં આ મોબાઇલ પરત કરવામાં આવ્યો હતો તેથી હોમગાર્ડ જવાન અમીનભાઇ ગડનની પ્રામાણિકતાને યુ.પી.ના પ્રવાસીઓએ પણ બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech