પોરબંદરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મનપાએ પાડયા દરોડા

  • May 28, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મનપાએ  દરોડા પાડયા હતા તે. ઉપરાંત ફૂડ સેફટીના નિયમનું ઉલ્લંઘન કરનારા ચાર ધંધાર્થીઓને  ૪૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના પેરેડાઇઝ ટોકીઝ રોડ, નવા ફુવારા, એસ.વી.પી. રોડ, રામધુન મંદિર વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી, આઇસક્રીમ શોપ, સોડાશોપ, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અને લારીમા ચેકીંગ કરવામાં આવેલ અને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવેલ છે અને આ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરતા ચેકીંગમાં ફૂડ સેફટી અંગેનું પાલન થતુ ન હોય અને આવા કુલ ચાર ધંધાર્થીઓ પાસેથી કુલ ‚ા. ૪૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરેલ. તેમજ ફૂડ સેફટી એકટ હેઠળના લાયસન્સ/ રજીસ્ટ્રેશન વિના ધંધો કરતા ધંધાર્થીઓને લાયસન્સ મેળવી લેવા નોટીસ પાઠવેલ તેમજ ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application