જિલ્લા જેલમાં મુસ્લિમ કેદીઓએ ઈદ-ઉલ-અઝાની ખાસ નમાઝ અદા કરી

  • June 09, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લા જેલમાં મુસ્લિમ કેદી ભાઈઓએ પણ ઈદ-ઉલ-અઝાની ખાસ નમાઝ અદા કરી હતી, ભાવનગરની સુન્ની દાવતે ઈસ્લામીના મુબ્લીગ કારી અખ્તરહુસૈન એન્જીનીયરે કેદી ભાઈઓને ઈદનું મહત્વ સમજાવી નમાઝ પઢાવી ખાસ દુઆઓ કરી હતી. 
આ પ્રસંગે જિલ્લા જેલ અધિક્ષક એલ. એમ. રાઠોડ , શબ્બીરભાઈ ખલાણી,  સોહિલભાઈ સીદી (મુબલીગ), જેલર જયદેવસિંહ ગોહિલ, જેલર આર. ટી. સોલંકી, જેલર જે. કે. રાઠોડ તેમજ જેલ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અલ્લાના પ્યારા ખલીલ (મીત્ર) હઝરત ઈબ્રાહીમ અલેહીસસ્સલામ અને તેમના વ્હાલાપુત્ર હઝરત ઈસ્માઈલ અલૈહીસલ્લામની યાદમાં આ તહેવારને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે તેમજ ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાંથી પવિત્ર મકકાશરીફ અને મદીના શરીફમાં હજયાત્રાએ ગયેલા હજયાત્રીકોની હજ પણ આ દિવસે કબુલ થાય છે તેથી પણ આ દિવસનું મહત્વ ઘણું રહેલું છે.
આ ઈદનો તહેવાર કોમી એકતા, ભાઈચારા અને એખલાસ અને સુલેહશાંતિના માહોલમાં સંપન્ન થયો હતો. પોલીસ તંત્ર દ્વારા તમામ ઈદગાહો અને મસ્જીદો નજીકમાં બદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો, તેમજ મુસ્લીમ વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application