ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ગઈકાલે એકશન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે જે સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્રારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે હાલમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પ્રેકટીકલ પરીક્ષા ચાલી રહી છે . આ પ્રેકટીકલ પરીક્ષાના ગુણ સાત માર્ચ સુધીમાં બોર્ડની મોકલી દેવા માટે સૂચના આપવામાં આવી છે.
ધો.૧૨ સામાન્ય પ્રવાહની શાળા દ્રારા લેવામાં આવેલી પ્રાયોગિક પરીક્ષા તેમજ ધો.૧૨ સાયન્સમાં કમ્પ્યૂટરની પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડને ૭ માર્ચ સુધીમાં મોકલી આપવા માટે તાકીદ કરવામાં આવી છે. બોર્ડના કાર્યક્રમ અનુસાર ૧૨થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના ગુણ બોર્ડને મોકલવાની કાર્યવાહી શ કરવામાં આવી છે અને ૭ માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ૧૧ માર્ચથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. જોકે, આ પરીક્ષા શ થાય તે પહેલા બોર્ડના શાળાકીય વિષયોની પ્રાયોગિક પરીક્ષા શાળા દ્રારા લેવામાં આવે તે માટે સૂચના આપી હતી. બોર્ડ દ્રારા નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર, ૧૨ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન બોર્ડના વિષયોની શાળાકક્ષાએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના ગુણ બોર્ડને સમયસર મળી રહે તે માટે બોર્ડ દ્રારા તમામ શાળઓને પત્ર લખી સૂચના આપી છે. શિક્ષણ બોર્ડના પત્ર અનુસાર, ધો.૧૨ સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિધાર્થીઓની પ્રાયોગીક પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવેલી છે. વિધાર્થીઓના વિષય બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીનો સંપર્ક કરવા માટે તાકીદ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech