ભાવનગરના લોકોના પ્રાથમિક સુવિધા સહિત પ્રાણ પ્રશ્નોને વાચા આપી તેના ઝડપી ઉકેલ માટે તંત્રનું સચોટ રીતે ધ્યાન દોરે છે. આમ, ગુજરાતનું અગ્રીમ સાંધ્ય દૈનિક "આજકાલ" સાચા અર્થમાં લોકપ્રહરી છે, સાંધ્ય દૈનિક "આજકાલ" તંત્ર દ્વારા કાર્યપદ્ધતિમાં તેમજ લોકોની સુવિધા પ્રત્યે ચૂક રહે તો સંબંધિત તંત્રના ધ્યાને લાવે છે., જરૂર પડ્યે તંત્રના કાન પણ આમળે છે. તેવા શબ્દો ભાવનગરમાંથી વિદાઈ લઈ રહેલા મ્યુનિસિપલ કમિશ્નર ઉપાધ્યાય દ્વારા તેમની કમિશ્નર તરીકે ફરજના અંતિમ દિવસે ભાવનગરથી પણ પ્રસિધ્ધ થતા ગુજરાતના અગ્રીમ સાંધ્ય દૈનિક "આજકાલ"ની શુભેચ્છા મુલાકાત વેળા કહ્યા હતા. "આજકાલ"ની શુભેચ્છા મુલાકાતે કાર્યાલય ખાતે આવેલા કમિ. ઉપાધ્યાયએ ગુજરાતના અગ્રીમ સાંધ્ય દૈનિક "આજકાલ"ના એડિટર ઈન ચીફ ચંદ્રેશ જેઠાણી સાથે વાતચીત કરી તેમના કમિશ્નર તરીકે ભાવનગરમાં બે વર્ષના કાર્યકાળ વિષે જણાવી કહ્યું હતું. કે ભાવનગર માટે કંઈક કર્યાનો સંતોષ સાથે જઈ રહ્યો છું., તેમણે "આજકાલ"સાંધ્ય દૈનિકના એડિટર ઈન ચીફ ચંદ્રેશ જેઠાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech