ઝારખંડમાં એક દીકરો મહાકુંભમાં ડૂબકી મારવાનું પુણ્ય કમાવાની લાલસામાં ઘોર પાપ કરી રહ્યો હતો અને તેની વૃદ્ધ તેમજ બીમાર માતાને ઘરમાં બંધ કરી દીધી હતી અને પોતે પત્ની, બાળકો અને સાસરિયાઓ સાથે ધાર્મિક યાત્રા માટે મહાકુંભમાં નીકળી ગયો હતો.બાદમાં માત્ર ભાત પર જીવી રહેલી વૃદ્ધ માતાની હાલત ભૂખના લીધે અત્યંત ખરાબ થઈ હતી અને તેમની ચીસો સાંભળી પડોશીઓએ તેમની પુત્રીને જાણ કરી માતાને કેદમાંથી છોડાવી હતી.
ઝારખંડના રામગઢમાંથી એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિએ તેની બીમાર 65 વર્ષીય માતાને તેમના ઘરમાં બંધ કરી દીધી હતી જ્યારે પોતે તેની પત્ની અને બાળકો સાથે મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ ગયો હતો. સંજુ દેવી તરીકે ઓળખાતી મહિલા સોમવારથી સુભાષ નગર કોલોનીમાં સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ ક્વાર્ટરમાં બંધ હતી. તેણી ભાત પર ટકી રહી હતી, જ્યારે તેનો પુત્ર, અખિલેશ કુમાર, તેની પત્ની, બાળકો અને સાસરિયાઓ સાથે ત્રિવેણી સંગમની ધાર્મિક યાત્રા પર નીકળ્યો હતો.બાદમાં
ભાત ખૂટી પડતા ભૂખથી પીડાતી માતાની ચીસો પડોશીઓના કાને પડી હતી અને જેના કારણે પડોશીઓએ હસ્તક્ષેપ કર્યો અને તેની પુત્રી, ચાંદની દેવીને ચિંતિત પડોશીઓ દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ તેણીને બચાવી લેવામાં આવી હતી. રામગઢ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર પરમેશ્વર પ્રસાદે પુષ્ટિ આપી કે તેના પુત્રએ તેને સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ ક્વાર્ટરમાં બંધ કરી દીધી હતી. સીસીએલના કર્મચારી અખિલેશ કુમારે દાવો કર્યો હતો કે તેમણે તેમની માતાની સંભાળની વ્યવસ્થા કરી હતી, જેમાં ખોરાક અને પાણીનો પણ સમાવેશ થાય છે.કાહુબેરામાં લગભગ પાંચ કિલોમીટર દૂર રહેતી ચાંદની દેવીને પડોશીઓએ તેની માતાની સ્થિતિ વિશે જાણ કરી. પોલીસે તાળું તોડીને સંજુ દેવીને બચાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી.પડોશીઓએ તાત્કાલિક તેણીને ખોરાક અને દવા આપી અને પછી તેણીને વધુ સારવાર માટે સીસીએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech