પાલિતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાસે મંગળવારે એક શંકાસ્પદ ઘટનામાં 30 વર્ષીય ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું કે ભગીરથસિંહનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં તેમના સગા ભાઈ મયૂરસિંહ બટુકસિંહ ગોહિલનો હાથ હોવાનું સામે આવ્યું છે. મિલકત મુદ્દે હત્યા થયાનું સામે આવ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભગીરથસિંહનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસ તપાસ દરમિયાન મયૂરસિંહ, જે પાલિતાણામાં TRB (ટ્રાફિક રિઝર્વ બટાલિયન) જવાન તરીકે ફરજ બજાવે છે, તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મયૂરસિંહે ગુનો કબૂલ્યો અને જણાવ્યું કે ભાઈ સાથેના ઝઘડાના કારણે તેણે આ કૃત્ય કર્યું હતું.
ભાઈને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા
પાલિતાણા ડીવાયએસપી મિહિર બારિયાએ જણાવ્યું હતું કે, ભગીરથસિંહ અને મયૂરસિંહ વચ્ચે તેમના પિતાના મરણ બાદ મિલકતના વિવાદને લઈને મનદુઃખ હતું. 18મી માર્ચના રોજ મયૂરસિંહ TRBની ફરજ પર જવા માટે નીકળતા પહેલાં ભાઈને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા. ત્યાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, જે દરમિયાન મયૂરસિંહે ભગીરથસિંહના માથાના ભાગે ઈજા પહોંચાડી અને છાતી પર બેસી ગળું દબાવીને તેની હત્યા કરી. પાલિતાણા ટાઉન પોલીસે મયૂરસિંહ બટુકસિંહ ગોહિલ સામે ગુનો નોંધી તેને હસ્તગત કર્યો છે. હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.
મિલકતના વિવાદે બે ભાઈઓ વચ્ચેના સંબંધોને તોડી નાખ્યા
આ ઘટના પરિવારના આંતરિક વિવાદો કેવી રીતે ભયાનક સ્વરૂપ લઈ શકે છે તે દર્શાવે છે. મિલકતના વિવાદે બે ભાઈઓ વચ્ચેના સંબંધોને તોડી નાખ્યા અને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી હતી. આ ઘટના પાલિતાણા શહેરમાં ભારે ચકચાર પેદા કરી છે અને લોકોમાં આઘાત અને શોકનું મોજું ફેલાયું છે. આ સાથે જ આ ઘટના પરિવારના વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની મહત્ત્વતાને પણ રેખાંકિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech