ભારતમાં એક તૃતીયાંશ લોકો ભૂખે મરે છે

  • June 03, 2025 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જળવાયું પરિવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિંગ હવે ફક્ત વિકસિત દેશોનો મુદ્દો નથી રહ્યો. તે ભારતના સામાન્ય લોકોના જીવનને અસર કરી રહ્યો છે. યેલ-સીવોટર સર્વે (ડિસેમ્બર 2024-ફેબ્રુઆરી 2025) અનુસાર, છેલ્લા એક વર્ષમાં 38% ભારતીયોએ ખોરાકની અછતનો સામનો કર્યો હતો.નોંધનીય છે કે 2024 ભારતનું સૌથી ગરમ વર્ષ હતું, જેમાં તાપમાન સામાન્ય કરતા 0.65 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ગયા વર્ષે 71% ભારતીયોએ ભારે ગરમીનો સામનો કર્યો હતો.બીજી તરફ 38% લોકોએ ખોરાકની અછત અથવા દુષ્કાળનો અનુભવ કર્યો હતો. ત્રણ ચતુર્થાંશ ભારતીયો ખોરાકની અછતથી ખૂબ અથવા મધ્યમ ચિંતિત છે. તેઓ આ માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવે છે.જો કે જાણીને નવાઈ લાગશે કે એવો વર્ગ પણ છે કે જેમને ક્યારેય ગ્લોબલ વોર્મિંગનું નામ પણ સાંભળ્યું નથી.આથી આ માટે જાગૃતિનો અભાવ પણ મુખ્ય સમસ્યા છે.ભારતમાં આબોહવા પરિવર્તન ખોરાક, પાણી અને હવાને અસર કરી રહ્યું છે.છતાં, ભારતીયો પર્યાવરણ બચાવવા માટે તૈયાર છે. સરકાર અને સમાજે જાગૃતિ લાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.


સર્વેમાં સામે આવ્યા આ તારણો

1 60% લોકોએ ખેતીમાં જીવાતો અને રોગોનો સામનો કર્યો

2 ૫૯% લોકોએ વીજળી કાપ, ૫૩% પાણી પ્રદૂષણ, ૫૨% દુષ્કાળ અને પાણીની અછત અને ૫૨% લોકોએ ગંભીર વાયુ પ્રદૂષણનો અનુભવ કર્યો હતો

3 વિશ્વના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૧૩ ભારતમાં છે. ૨૦૨૪ ના શિયાળામાં, દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧,૦૦૦ થી વધુ હતો, જે આરોગ્ય કટોકટી છે.

4 તાજેતરમાં ગરીબીમાંથી બહાર આવેલા લોકો હજુ પણ ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સરકાર 80 કરોડ લોકોને મફત રાશન આપી રહી છે, જે આ સમસ્યાને પ્રતિબિંબિત કરે છે.

5 2023ના યેલ-સીવોટર સર્વે મુજબ, 86% ભારતીયો સરકારના 2070ના ચોખ્ખા શૂન્ય લક્ષ્યને સમર્થન આપે છે. 55% માને છે કે ભારતે તાત્કાલિક ઉત્સર્જન ઘટાડવું જોઈએ.

6 93% ભારતીયો પર્યાવરણ બચાવવા માટે તેમની દિનચર્યા બદલવા માટે તૈયાર છે. ફટાકડા પર પ્રતિબંધ, પર્યાવરણને અનુકૂળ મૂર્તિ વિસર્જન અને હોળી અને પ્લાસ્ટિકથી દૂરી જેવા પગલાં આનો પુરાવો છે.

7 ભારતીયો ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો અપનાવી રહ્યા છે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં, EV વેચાણ દર વર્ષે 17 મિલિયન યુનિટ સુધી પહોંચી જશે.

8 66% લોકો વધુ ઇંધણ-કાર્યક્ષમ વાહનોને સમર્થન આપે છે, ભલે તે ખર્ચમાં વધારો કરે. 77% લોકો ઇચ્છે છે કે ઇમારતો ઓછી ઉર્જા અને પાણીનો બગાડ કરે. 73% લોકો 2015 પેરિસ આબોહવા કરારને સમર્થન આપે છે.

9 32% ભારતીયોએ ક્યારેય ગ્લોબલ વોર્મિંગ વિશે સાંભળ્યું નથી. આ દર્શાવે છે કે આબોહવા પરિવર્તન અને તેની સ્થાનિક અસરો વિશે જાગૃતિ વધારવાની જરૂર છે.


ક્યારે અને કેવી રીતેહાથ ધરાયો સર્વે

યેલ પ્રોગ્રામ ઓન ક્લાઇમેટ ચેન્જ કોમ્યુનિકેશન અને સીવોટર દ્વારા 5 ડિસેમ્બર, 2024 થી 18 ફેબ્રુઆરી, 2025 સુધી 10,751 પુખ્ત વયના લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. મોબાઇલ ફોન દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સર્વે 12 ભાષાઓમાં કરવામાં આવ્યો હતો (હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉડિયા, બંગાળી, આસામી, અંગ્રેજી).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application