ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ભારતીય વાયુસેના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. વાયુસેનાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. વાયુસેનાએ કહ્યું, "ઓપરેશન સિંદૂર હેઠળ અમને આપવામાં આવેલું લક્ષ્ય પ્રાપ્ત થયું છે. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ અંગે ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, એનએસએ અજિત ડોભાલ, સીડીએસ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર છે.
ભવિષ્યમાં ભારત સાથે 3 મુખ્ય મુદ્દાઓ પર વાતચીત શક્ય છે: પાક રક્ષા મંત્રી
ભારત સાથે યુદ્ધવિરામ બાદ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ ભારત સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. પડોશી દેશ સાથે ભવિષ્યની કોઈપણ બેઠક દરમિયાન આ અંગે ચર્ચા થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech