ભારત સરકાર હેઠળના અનામતના લાભ માટે ગુજરાતની 'કુંભાર' અથવા 'પ્રજાપતિ' જ્ઞાતિને જાતિ આધારિત પ્રમાણપત્ર અને બિન ઉન્નત વર્ગના પ્રમાણપત્ર મેળવવામાં મોટી મુશ્કેલી થઈ રહી છે, કેન્દ્ર સરકારની અનામત અંગેની યાદીમાં આ શબ્દો અલગથી દર્શાવ્યા ન હોવાથી અમુક અધિકારીઓ આવા પ્રમાણપત્ર આપતા ન હોવાની ઊઠેલી વ્યાપક ફરિયાદ પછી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તમામ સંબંધીત અધિકારીઓને કુંભાર અને પ્રજાપતિ જ્ઞાતિને જાતિ પ્રમાણપત્ર અને બિન ઉન્નત વર્ગના પ્રમાણપત્ર ભારત સરકાર હેઠળના અનામત લાભ માટે આપવા આદેશ કર્યો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ કે.જી.વણઝારાએ આ સંદર્ભે તમામ જિલ્લા કલેકટરોને એક પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે રાજ્ય સરકારની યાદીમાં કુંભાર અથવા પ્રજાપતિ અલગથી દર્શાવવામાં આવ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારના અનામતના હેતુ માટે આવો ઉલ્લેખ લિસ્ટમાં નથી. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં આ જાતિના અરજદારો અને ઉમેદવારોના શાળા રેકોર્ડ કે મહેસુલી રેકોર્ડમાં જ્યાં ફક્ત કુંભાર અથવા પ્રજાપતિ લખેલું હોય તેમને જાતિ અને બિન ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
અમુક અધિકારીઓ આવું પ્રમાણપત્ર આપે છે જ્યારે કેટલાક અધિકારીઓ પ્રમાણપત્ર આપતા નથી અને પરિણામે આ જાતિના અરજદારો અને વિદ્યાર્થીઓને પોતાના મૂળભૂત બંધારણીય અધિકારોથી વંચિત રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં ભારત સરકાર હેઠળના અનામતના હેતુ માટે અધીકૃત કરાયેલ તમામ મહેસુલી અધિકારીઓએ ભારત સરકાર હેઠળની અન્ય પછાત વર્ગોની યાદી (સેન્ટ્રલ લિસ્ટ ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ)માં ક્રમાંક 84 આગળ કુંભાર અથવા પ્રજાપતિ જ્ઞાતિનો જે પણ સ્વરૂપે ઉલ્લેખ કર્યો હોય તેમ છતાં એ કિસ્સામાં અરજદારો અને વિદ્યાર્થીઓ શાળા કે મહેસુલી રેકોર્ડમાં ફક્ત કુંભાર અથવા પ્રજાપતિ નોંધ કે લખાણ હોય તો પણ ભારત સરકાર હેઠળના અનામતના હેતુ માટે જાતિ તેમજ બિન ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર કાઢી આપવાની સૂચના સરકારે આપી છે.
આ પરિપત્રમાં સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ સૂચનાથી ભારત સરકારની યાદીમાં કોઈ નવી જાતિ કે નવો પર્યાયવાચી શબ્દ ઉમેરાતો નથી. આ સૂચનાઓ આ જાતિને પડતી બિનજરૂરી હાલાકીથી મુક્ત કરવા માટે બહાર પાડવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech