ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે અમદાવાદ, વડોદરા, દાહોદ અને ભૂજની મુલાકાત બાદ આજે વડાપ્રધાન પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ વિવિધ વિભાગોના ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જોકે એ પહેલા પીએમ મોદીનો રોડ-શો શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. રસ્તાની બન્ને બાજુ ઓપરેશન સિંદૂરના બેનર અને હાથમાં તિરંગો લઇને લોકો ઊમટ્યા
સેક્ટર 17થી મહાત્મા મંદિર સુધી PMનો ભવ્ય રોડ શો
ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો શરૂ થયો છે. જે બાદ વડાપ્રધાન મોદી રૂ.5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તેમની સુરક્ષા માટે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ત્રણ હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રોડ શોમાં એક લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે. પોલીસે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech