બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજદ્વારી નિયમો અનુસાર, જ્યારે કોઈ રાજદૂત પોતાના કાર્યકાળમાંથી રજા લે છે, ત્યારે વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે રજાના સમયગાળા અને તેમની ગેરહાજરીમાં કોણ જવાબદારી સંભાળશે તેની જાણ કરવામાં આવે છે. મારૂફના ગયા પછી પાકિસ્તાન હાઈ કમિશને ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ આસિફને કાર્યકારી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. હાઈ કમિશને અનૌપચારિક રીતે સંકેત આપ્યો છે કે મારુફ બે અઠવાડિયા પછી પાછો ફરી શકે છે.
બન્ને દેશો વચ્ચેના સંબંધ સુધારવા માટે મારુફ ખૂબ જ સક્રિય હતા
સૈયદ મારુફ ઢાકામાં બાંગ્લાદેશ-પાકિસ્તાન સંબંધો સુધારવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાના પતન પછી મારુફ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના પ્રિય હતા. તેઓ યુનુસ સરકારના મુખ્ય નેતાઓ સાથે સતત બેઠકો કરી રહ્યા હતા. તેમણે પાકિસ્તાનના વિદેશ સચિવની મુલાકાત સહિત અનેક મુલાકાતોના આયોજનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પાકિસ્તાનના રાજદ્વારી વલણમાં પરિવર્તનના સંકેત
ઢાકામાં મારુફની સક્રિય ભૂમિકા અને હવે ત્યાંથી તેના અચાનક જવાથી ઘણી અટકળોને જન્મ મળ્યો છે. આને પાકિસ્તાનના રાજદ્વારી વલણમાં પરિવર્તનના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. સૈયદ અહેમદ મારુફએ ડિસેમ્બર 2023 માં બાંગ્લાદેશમાં હાઇ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. યુનુસ સરકાર સત્તામાં આવ્યા પછી પાકિસ્તાન દ્વારા બાંગ્લાદેશ સાથે સંબંધો સુધારવા માટે કરવામાં આવેલા પ્રયાસોમાં પણ મારુફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તો, તેમની આ રીતે વિદાયે ધ્યાન ખેંચ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech