સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોરબંદર યોગ શિબિર માં જોડાવા ધારાસભ્યએ લોકોને અપીલ કરી હતી.
તાજેતરમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મુલાકાત ગાંધીનગર સ્થિત કાર્યાલય એ કરી હતી સાથે યોગ બોર્ડના ચેરમેન પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિશપાલજી સાથે યોગ સંવાદ કરેલ આ સાથે ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોડા ની પણ ખાસ ઉપસ્થિત રહેલ સાથે પોરબંદરમાં આગામી તારીખ ૮ -૫ ના રોજ બપોરે સાડા ત્રણ થી સાંજના ૬.૩૦ સુધી સાન્દીપનિ શ્રીહરિમંદિર ખાતે યોજનાર યોગ સંવાદ તેમજ તા: ૯ /૫ ના રોજ સવારે ૦૫:૩૦ થી ૭.૩૦ સુધી ભવ્ય યોગ શિબિર માટે પણ શુભેચ્છાઓ પાઠવેલ આ શુભેચ્છા મુલાકાત પોરબંદરની જનતાને યોગના માધ્યમથી વધુમાં વધુ લાભ અપાવવાનું તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ માં મેદસ્વિતા મુક્ત ભારત માટેના આહવાન ને વેગવંતુ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંકલ્પ સ્વસ્થ ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને વેગ આપવા ગુજરાત રાજ્ય યોગબોર્ડ કટિબદ્ધ થયેલ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશીપાલજી દ્વારા દરેક જિલ્લાઓમાં વિશાળ યોગ સંવાદ અને યોગ શિબિરોના ભવ્ય આયોજનો થઈ રહ્યા છે જે અંતર્ગત આગામી પોરબંદરમાં પણ યોગ સંવાદ અને યોગ શિબિર થવા જઈ રહી છે ત્યારે પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ પોરબંદરની યોગ અને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને આ યોગના દરેક કાર્યક્રમમાં જોડાઈ વધુમાં વધુ લાભ લેવા આહવાન કરેલ છે.
આ સાથે જ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોરબંદરની કરમઠ યોગ ટીમ ના પ્રયાસ ની પ્રશંસા કરી આગામી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવેલ છે. પોરબંદરમાં જિલ્લાના કો -ઓર્ડીનેટર કેતન કોટિયાએ સમગ્ર પોરબંદરની યોગ બોર્ડની ટીમ વતી માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને નિમંત્રણ પાઠવી રજીસ્ટ્રેશન કરાવી પ્રચારનો શુભારંભ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech