મગનભાઈ હરજીભાઇ ધોળકિયા(રહે. રૈયા રોડ, પ્રમુખસ્વામી ઓડિટોરીયમ નજીક, શુભમ ડુપ્લેક્સ)એ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યોગીરાજ શક્તિસિંહ પરમાર, માધવ પરમાર, ઋષિરાજ જાડેજા અને એક અજાણ્યા શખસના નામ આપતાં જણાવ્યું હતું કે, તે જુના માર્કેટિંગ યાર્ડની બાજુમાં આર.આર. પેટ્રોલ પંપની પાછળ ટ્રાન્સપોર્ટનગરમાં દુકાન નંબર ૧૭૧, ૧૭૨ માં પુનમ રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ છેલ્લા આઠ વર્ષથી ચલાવુ છે. ગઈ તા.૦૬/૦૬/૨૦૨૫ ના રાત્રિના તે તથા બંને પુત્રો ટ્રાન્સપોર્ટની ઓફિસે હાજર હતા. ત્યારે રાત્રિના આશરે પોણા નવ વાગ્યે મારા ફોનમાં અમારા ટ્રાન્સપોર્ટની પાછળના ભાગે સોનલકૃપા એન્ટરપ્રાઇઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવનાર યોગીરાજ શક્તિસિંહ પરમારે કે મારા ભત્રીજાને એસ.ટી. બસમાં નોકરી માટે તમારા પુનમ રોડવેઝનો લેટરપેડ કોરો અને તમારી સહી અને સિક્કા વાળું જોઈએ છે તેમ કહેતા ના પાડી દેતા યોગીરાજ પરમાર, માધવ પરમાર, ઋષિરાજસિંહ જાડેજા અને એક અજાણ્યો શખ્સ કાર લઈને ધસી આવેલ હતા. બાદમાં છરી, ધોકા-પાઇપ વડે ત્રણેય પિતા-પુત્રોને માર માર્યો હતો. જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ મામલે ગુજરાત ચૂંવાળીયા કોળી સમાજ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પાઠવતા જણાવ્યું હતું કે, બનાવમાં અરજદાર દ્વારા હોસ્પિટલ ખાતે આવેલ પોલીસ કર્મચારીને તમામ હકીકત જણાવવામાં આવી હોય છતાં હુમલાખોરો ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવતા હોય અને પૂર્વઆયોજિત કાવતરું રચી ખૂની હુમલો કરી તોડફોડ મચાવી હતી તેમજ લૂંટ પણ ચલાવી હતી તેમ છતાં પોલીસે આરોપીને છાવરી હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આવેદનમાં માંગણી કરવામાં આવી હતી કે, હુમલાખોરો સામે પૂર્વઆયોજિત કાવતરૂ રચી લૂંટ કરવાની તેમજ જાનથી મારી નાખવાનું કોશિશ કરવામાં આવી હોય તેથી ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech