પોલીસ પ્રજાનો મિત્ર છે અને લોકોને સલામતી મામલે કોઇ પ્રશ્ન કે સમસ્યા રહે નહિ તે જોવાની જવાબદારી મુખ્ય પોલીસ અધિકારીની છે. અને તેજ દિશામાં સઘન કામગીરી પીઆઈ જાડેજા કરી રહ્યા હોવાની પ્રતીતી લોકો કરી રહ્યા છે. પીઆઈ જાડેજા પોતાની ટીમ સાથે અચાનક મુખ્ય બજારમાંથી પગપાળા પસાર થયા હતા. શિસ્તના ચુસ્ત આગ્રહી, સમયના એકદમ પાબંદ, પ્રજા-પોલીસ સ્ટાફ માટે હંમેશા કંઈક કરી છૂટવાની ખેવના ધરાવતા સિહોર પીઆઇ જાડેજાને ચાર્જ સંભાળ્યાને બે માસ પૂર્ણ થઈ ચુક્યા છે.અને તેમના આ બે માસના કાર્યકાળ દરમિયાન ફરિયાદી અને આમ લોકો પ્રત્યે પોલીસના વાણી-વર્તન-વ્યવહારમાં આમૂલ પરિવર્તન લાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. અત્યંત વિપરિત પરિસ્થિતિ વચ્ચે સિહોરના પોલીસ તરીકે ચાર્જ સંભાળનારા પીઆઇ જાડેજાએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચે જે પ્રકારનો વિશ્વાસરૂપી ઉમદા સેતુને ક્યારેય તૂટવા દેશું નહીં. સાથે વધુમાં વધુ સુદૃઢ કામગીરી થકી અમે ક્રાઈમ નિયંત્રણમાં લાવવા માંગીએ છીએ. એકંદરે પોલીસમાં પ્રજાના વિશ્વાસનું સંપાદન થાય, પોલીસની છબી સુધરે, પોલીસ સ્ટેશનો લોકોની તકલીફોને દૂર કરવાનું માધ્યમ બને તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. મેં પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સૌથી પહેલાં ઘરથી શરૂઆત કરતાં પોલીસ સ્ટાફ નિયમોનું પાલન કરે તેની શરૂઆત કરાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભાના અધ્યક્ષે પોરબંદરના ધારાસભ્યની માણી મહેમાનગતિ
June 09, 2025 02:43 PMપોરબંદરના લઘુમતિ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવા થઇ માંગ
June 09, 2025 02:42 PMગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા થનબર્ગની જહાજ રોકી ધરપકડ
June 09, 2025 02:41 PMરાફેલ મુદ્દે ભારત - ફ્રાંસ વચ્ચે અણબનાવ? એસ જયશંકર આવતા સપ્તાહે પેરિસ જશે
June 09, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech