જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ચાલી રહયો છે અને અલગ અલગ વિસ્તારોમાં ગણપતિજીની સ્થાપનાઓ કરવામાં આવી છે દરમ્યાન જામનગરના સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સીટી-એ પીઆઇ એન.એ. ચાવડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ પંડાલોની મુલાકાત લઇ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જામનગર જીલ્લા પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ ચાલી રહયો છે ત્યારે ઉશકેરીજનક કે કોઇ સમાજની ધાર્મીક લાગણી દુભાય એવા ખોટા મેસેજ કે અફવાઓ સોશ્યલ મિડીયા પર મોકલવા કે ફોરવર્ડ કરવા નહીં ડીજેનો મયર્દિા કરતા વધારે અવાજ રાખવો નહીં કોઇ ઉશ્કેરીજનક ગીત વગાડવા નહીં, શાંતી જળવાઇ રહે એ સૌની નૈતીક ફરજ છે, સાયબર પોલીસ સોશ્યલ મિડીયા પર બાજ નજર રાખી રહી છે જેથી લોકોએ સહકાર આપવા આહવાન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech