પોરબંદર ભાજપની શહેર મંડળની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષના સુશાસનની કામગીરી લોકો સુધી પહોંચાડવા અપીલ થઈ હતી.
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્ત્વમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે તે સંદર્ભે આજરોજ સંકલ્પથી સિદ્ધી અંતર્ગત આગામી કાર્યક્રમો સંદર્ભે અટલ ભવન કાર્યાલય ખાતે પોરબંદર શહેર ની કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, સિનિયર આગેવાન કેતનભાઈ દાની, પોરબંદર શહેર મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા , જિલ્લા યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા અને શહેર ના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યશાળામાં આગામી કાર્યક્રમોનું માર્ગદર્શન સિનિયર આગેવાન કેતનભાઈ દાની દ્વારા આપવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech