ગાંધીનગર ખાતે યુ.એન.મહેતા કાર્ડિયાક સેન્ટરનુ ઈ–લોકાર્પણ કરતા વડાપ્રધાન

  • May 27, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજયમાં હાર્ટની સારવાર માટે દરેક ઝોન અને રિજિયન વાઈસ સેટેલાઈટ સેન્ટર શ કરવામાં આવશે. ગાંધીનગરનું સેટેલાઈટ સેન્ટર તેનું પ્રથમ પગલું છે.હવે પછી સુરત, ભાવનગર અને રાજકોટમાં પણ સેટેલાઈટ સેન્ટર શ કરાશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલાં યુ. એન. મહેતા કાર્ડિયાક અને ન્યુરો કેર સેન્ટરનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ–લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંદાજે ૮૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલમાં ૯૬ બેડની સુવિધા છે. ત્યારે હોસ્પિટલના નિરીક્ષણ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.
ગાંધીનગર સિવિલમાં ૬૦૦બેડની હોસ્પિટલ બિલ્ડિંગમાં એકથી ત્રણ માળમાં યુ. એન. મહેતા કાર્ડિયાક સેન્ટર ઉભું કરાયું છે. ૯૬ બેડની હોસ્પિટલમાં બે સંપૂર્ણ હાઈ એન્ડ મોડુલર ઓપરેશન થિયેટર, એક અત્યાધુનિક કેથલેબ, ૪૧ આઈસીયુ, ક્રિટીકલ કેર બેડ, ૧૯ સ્ટેપડાઉન આઈસીયુ, જનરલ વોર્ડ, ઓપીડી વિભાગ, ઈનહાઉસ ડાયોસ્ટિકસ, ઈમરજન્સી વિભાગ, એકિઝકયુટિવ હેલ્થ ચેકઅપ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લ ેખનિય છે કે, યુ. એન. મહેતા અમદાવાદમાં વર્ષ ૨૦૨૪માં ઓપીડીમાં ૩.૬૩ લાખથી વધુ દર્દી યારે ૫૦ હજારથી વધુ દર્દીની દાખલ કરીને સારવાર કરવામાં આવી હતી.
જેમાં ૨૨ હજારથી વધુ ઓપીડી અને ૩ હજારથી વધુ દાખલ કેસ ગાંધીનગર જિલ્લ ાના હતા. નવા સેટેલાઈટ સેન્ટરની મુલાકાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાયમાં હાર્ટની સારવાર માટે દરેક ઝોન અને રિજિયન વાઈસ સેટેલાઈન સેન્ટર શ કરવામાં આવશે. ગાંધીનગરનું સેટેલાઈટ સેન્ટર તેનું પ્રથમ કદમ છે. આ પછી સુરત, ભાવનગર અને રાજકોટમાં પણ સેટેલાઈટ સેન્ટર શ કરાશે. ગાંધીનગરમાં યુ. એન. મહેતાની સારવાર મળી રહેતાં હવે દર્દીઓને અમદાવાદ લાંબા થવાની જર નહીં પડે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News