રાજકોટ શહેર વોર્ડ નં.૭, ૮ તથા ૧૪ના વિસ્તારોને અશાંતધારામાં સમાવવા વિશે પ્રાંત કચેરી દ્રારા કલેકટરને અહેવાલ સુપરત કરી દેવાતા હવે આ અહેવાલ પર અભ્યાસ ચાલુ કરાયો છે અને વિસ્તારોને અશાંતધારામાં સમાવવા માટેની દરખાસ્ત કલેકટર દ્રારા રાજય સરકારને કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં ગત માસે વિધાનસભા–૬૯ તથા વિધાનસભા–૭૦ના ભાજપના બે ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળાએ અશાંતધારામાં સમાવાયેલ વિસ્તારોને સમાવવા માટેની થયેલી રજૂઆત બાબતે તત્રં તુરત જ હરકતમાં આવ્યું હતું. પોલીસ એકશનમાં આવી હતી. જે વિસ્તારોને અશાંતધારામાં સમાવવા માટેની રજૂઆતો થઇ હતી. તે બાબતે પ્રાંત કચેરી દ્રારા જરૂરી માહિતી સાથે અહેવાલ તૈયાર કરીને કલેકટરને સુપરત કરાયો છે.
વિસ્તારોનો અહેવાલ કલેકટર દ્રારા અભ્યાસ હાથ ધરાયો છે. જે પ્રક્રિયા બાદ દરખાસ્ત રાજય સરકારને મોકલાશે. અંતિમ નિર્ણય ગૃહ વિભાગ દ્રારા લેવાશે ત્યાંથી જે વિસ્તારો ફાઇનલ થશે તેનો અશાંતધારામાં સમાવેશ થશે.
રાજય સરકાર દ્રારા હાઇકોર્ટની ટકોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટી, નિયમનમાં કરેલા ફેરબદલની નવી માર્ગદર્શિકાને લઇને રાજકોટ જિલ્લ ા કલેકટર તત્રં પણ નવી ગાઇડલાઇન મુજબ કાર્યવાહી માટે એકિટવ થયું છે.
રાજકોટ જિલ્લ ા લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી ૨૨ તારીખે મળનાર હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં ૬૦ જેટલા કેસ મુકાયા છે. જે કેસ સંદર્ભે નવા નિયમ મુજબ બન્ને પક્ષકારોને નોટીસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ કમિટીનું નવુ માળખુ બનાવવા બે નાયબ મામલતદાર, બે કલાર્કનું નવુ મહેકમ ઉભુ કરવાની પણ પ્રક્રિયા ચાલુ કરાયાનું અને ટુંક સમયમાં આ નવા મહેકમમાં કલેકટર દ્રારા ઓર્ડર થશે તેવું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech