પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી હત્યાથી લોકરોષ

  • June 10, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં એક શખ્સે ગૌવંશને માથાના ભાગે પથ્થર ઝીંકી દેતા ગૌ વંશનું ઘટના સ્થળે જ મોત નિપજાવી હત્યા કરવામાં આવી હતી. જેના સી.સી.ટી.વી. ફુટેજ સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા જેને લઈને જીવદયા પ્રેમી તેમજ ગૌ સેવા સમિતિમાં રોષ ફેલાયો હતો. જેમાં ગૌ સેવા સમિતિના અધ્યક્ષ દ્વારા પાલિતાણા ટાઉન પોલીસમાં લેખિત અરજી કરી  હત્યા કરનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પવિત્ર તીર્થ એવા પાલિતાણા શહેરમાં એક માથાફરેલ શખ્સે એક ગૌવંશને માથા ઉપર મોટો પથ્થરો ઝીંક્યો હતો જે બાદ ગૌવંશ ઘટના સ્થળે જ ઢળી પડયું હતું અને તેમાં ગૌવંશ મોતને ભેટ્યું હતું. જેના સી.સી. ટી.વી.ફુટેજ સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં જીવદયા તેમજ હિન્દુ સમાજમાં આરોપી સામે ભારે રોષની લાગણી ભભુકી ઉઠી હતી.  જે ઘટનાના પડઘા પડતાં પાલિતાણા ગૌ સેવા સમિતિ તેમજ તેના અધ્યક્ષ કલ્પેશભાઈ એમ.પરમાર દ્વારા પાલિતાણા ટાઉન પોલીસ મથકના પી.આઈ.ને લેખિત રજૂઆત કરી, આરોપી વિરૂદ્ધ કડકમાં કડક પગલાં તેમજ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી. જેને લઈને પાલિતાણા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પાલિતાણા પોલીસે આ મામલે ગૌવંશની હત્યા કરનાર આરોપી હનીફ ઉસ્માનભાઈ ગોગદા (રહે. સોનપરી ગામ, તા. પાલિતાણા) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આરોપી હનીફ પાલિતાણાના  ક્ધયાશાળા શોપીંગ નજીક મજુરી કરે છે તે વેળાએ ત્યાં હાજર હતો ત્યારે ગાય નજીકથી પસાર થઈ હતી અને ઢીક ઉલાળી હતી જેની દાઝ રાખી આરોપીએ પથ્થર ઝીંકતા તે પથ્થર ગાયની સાથે રહેલ ગૌવંશને વાગતા તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ફરિયાદી કલ્પેશભાઈ પરમારની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application